Site icon

અંતિમ સંસ્કાર વખતે માથા પર કેમ મારવામાં આવે છે ડંડો? આ પાછળનું કારણ જાણીને ધ્રુજી ઉઠશો

હિંદુ ધર્મમાં, 16 સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સંસ્કારોમાંથી એક છે અંતિમ સંસ્કાર. હિંદુ ધર્મ અનુસાર અંતિમ સંસ્કાર વખતે ઘણી બાબતોનું પાલન કરવામાં આવે છે.

Why is a baton beaten on the head during funerals

Why is a baton beaten on the head during funerals

News Continuous Bureau | Mumbai

હિંદુ ધર્મમાં, 16 સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સંસ્કારોમાંથી એક છે અંતિમ સંસ્કાર. હિંદુ ધર્મ અનુસાર અંતિમ સંસ્કાર વખતે ઘણી બાબતોનું પાલન કરવામાં આવે છે.
અંતિમ સંસ્કાર દરમિયાન મૃતકના પરિવાર દ્વારા કેટલાક એવા કામ કરવામાં આવે છે જેનાથી મૃતકની આત્માને મુક્તિ મળે છે. આમાંથી એક છે કપાલ ક્રિયા. જો તમે હિન્દુ ધર્મના છો તો તમે તેના વિશે સાંભળ્યું જ હશે. કપાલ ક્રિયા દરમિયાન મૃતકના માથા પર લાકડી મારવામાં આવે છે. તમને સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે, પરંતુ આ વાત બિલકુલ સાચી છે.

Join Our WhatsApp Community

તેની પાછળનું કારણ ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં મનુષ્યના અંતિમ સંસ્કાર સંબંધિત સંપૂર્ણ વિધિવિધાનનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વિધિ હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર માટે કરવામાં આવે છે.
કપાલ ક્રિયા પાછળ બે કારણો જણાવવામાં આવ્યા છે, પ્રથમ વ્યક્તિને સાંસારિક બંધનોમાંથી મુક્ત કરવા. બીજું તંત્ર મંત્ર માટે મૃતકની ખોપરીનો ઉપયોગ ન કરવામાં આવે એટલે.

આ સમાચાર પણ વાંચો: ઉભા રહીને પૂજા કરવી કેટલી યોગ્ય? જાણો સચોટ નિયમો, નહીં તો તમે પોતે જ આપશો ગરીબીને આમંત્રણ

આ જન્મની યાદો આવતા જન્મમાં સાથે ન રહેવી જોઈએ – 

કપાલ ક્રિયા કરતી વખતે વ્યક્તિના પરિવારના સભ્યોને દુઃખ થાય છે અને તેઓ વિચારે છે કે તેઓ આ કેમ કરી રહ્યા છે, પરંતુ હિન્દુ ધર્મમાં તેને આવશ્યક માનવામાં આવે છે. આમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે ખોપરી તોડવાથી આ જન્મની યાદને મૃત આત્મા આગલા જન્મમાં સાથે લઈ જઈ શકતો નથી અને તે સાંસારિક બંધનોથી મુક્ત થઈ જાય છે. એવામાં તેને મોક્ષ મળી જાય છે.

તંત્ર મંત્ર માટે ખોપરીનો ઉપયોગ ન થાય – 

એવું માનવામાં આવે છે કે તાંત્રિકો તેમના તંત્ર મંત્રો માટે આખી ખોપડીનો ઉપયોગ કરે છે, તેથી તેઓ આખી ખોપરીની શોધ કરતા રહે છે. જ્યારે તેઓને આખી ખોપરી મળે છે, ત્યારે તેઓ તેનો દુરુપયોગ કરે છે. તેનાથી મૃતકની આત્માને દુઃખ થાય છે અને તેની આત્મા ભટકતી રહે છે.

Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Exit mobile version