Site icon

Diya Symbolism Panch Tatva: દીપકનું બુઝાવું શા માટે અશુભ માનવામાં આવે છે? જીવન સાથે કેવી રીતે જોડાય છે દીપની જ્યોત

Diya Symbolism Panch Tatva: પંચતત્વોનું પ્રતિનિધિત્વ કરતો દીપક, તેની જ્યોત આપણા જીવનની ચેતનાનું પ્રતિક

Why Is Extinguishing a Diya Considered Inauspicious? Its Deep Connection with Life

Why Is Extinguishing a Diya Considered Inauspicious? Its Deep Connection with Life

News Continuous Bureau | Mumbai

Diya Symbolism Panch Tatva: ટીવી શો અને ફિલ્મોમાં તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે કોઈ દુઃખદ ઘટના થવાની હોય ત્યારે દીપક   અચાનક બુઝાઈ જાય છે. ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ દીપકનું બુઝાવું અશુભ માનવામાં આવે છે. કારણ કે દીપક માત્ર પ્રકાશ નથી, તે આપણા જીવનના પંચતત્વો અને ચેતનાનું પ્રતિક છે.

Join Our WhatsApp Community

દીપક અને જીવન વચ્ચેની સમાનતા

માટી નો દીવો  આપણા શરીર અને જીવનની જેમ પંચતત્વોથી બનેલો હોય છે – પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ.

દિવાની જ્યોત – તે ચેતનાનું પ્રતિક છે, જે ઓક્સિજનથી જીવંત રહે છે, જેમ કે માનવ શરીર શ્વાસથી.

પૂજા દરમિયાન દીપકનું બુઝાવું

ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂજા દરમિયાન દીપકનું બુઝાવું એ સંકેત હોઈ શકે છે કે દેવતા પ્રસન્ન નથી. તે દર્શાવે છે કે પૂજા શ્રદ્ધા અને એકાગ્રતાથી નથી થઈ. જ્યોતિષ મુજબ, આ નકારાત્મક ઊર્જાનો સંકેત પણ હોઈ શકે છે, જે મનોકામનાઓમાં વિઘ્ન લાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Bhoota Yajna: હિંદુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન મળ્યું છે, અને પહેલી રોટલી પણ તેના માટે જ હોય છે તો જાણો ભૂત યજ્ઞ પાછળનું રહસ્ય

દીપકથી ફેલાય છે સકારાત્મક ઊર્જા

દીપકની જ્યોતમાં ભક્તિ, પ્રેમ અને બ્રહ્માનો વાસ માનવામાં આવે છે. ઘી – સમૃદ્ધિ અને શુક્રનું પ્રતિક છે, જ્યારે તલનું તેલ – શનિનું. પૂજામાં દીપક ના અગ્ર ભાગમાં દેવતાઓનો વાસ હોય છે. દીપક આત્માને પરમાત્મા સાથે જોડવાનો માર્ગ છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Mercury Transit 2026: કુંભ રાશિમાં બુધની એન્ટ્રી: આ રાશિના જાતકો પર થશે મા લક્ષ્મીની અસીમ કૃપા; જાણો કોની કિસ્મત પલટાશે અને કોને મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જાન્યુઆરી ૨૦૨૬, જાણો આપનું રાશિફળ
Scientific Reason Behind Tilak: તિલક કરતી વખતે માથા પર હાથ રાખવાનું શું છે મહત્વ? જાણો તેની પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ.
Basant Panchami 2026:જ્ઞાનની દેવીની કૃપા મેળવવાનો અદભૂત અવસર! વસંત પંચમી પર બનેલા આ ખાસ સંયોગમાં ભૂલથી પણ ન કરતા આ કામ; જાણો પૂજાની સાચી રીત
Exit mobile version