Site icon News Continuous Bureau | Mumbai

Ganesh Chaturthi : ગણેશ ચતુર્થી પર કેમ લગાવવામાં આવે છે ગણપતિ બાપ્પા મોર્યા ના નારા- જાણો આ પાછળ ની રસપ્રદ વાર્તા

Ganesh Chaturthi: ગણેશ પુરાણ અનુસાર સિંધુ નામના રાક્ષસના અત્યાચારથી તમામ લોકો કંટાળી ગયા હતા. તે ખૂબ જ શક્તિશાળી હતો અને દેવી-દેવતાઓ, તમામ મનુષ્યો તેના અત્યાચારી સ્વરૂપમાંથી બચવાનો માર્ગ શોધી રહ્યા હતા.

News Continuous Bureau | Mumbai

ગણપતિ બાપ્પા સાથે સંકળાયેલા ગણપતિ બાપ્પા ( Ganpati Bappa ) મોર્યા શબ્દ પાછળ ગણપતિનું મયુરેશ્વર સ્વરૂપ ( Mayureshwar ) હોવાનું માનવામાં આવે છે. ગણેશ પુરાણ અનુસાર સિંધુ નામના રાક્ષસના અત્યાચારથી તમામ લોકો કંટાળી ગયા હતા. તે ખૂબ જ શક્તિશાળી હતો અને દેવી-દેવતાઓ, તમામ મનુષ્યો તેના અત્યાચારી સ્વરૂપમાંથી બચવાનો માર્ગ શોધી રહ્યા હતા. તેનાથી બચવા માટે દેવતાઓએ ગણપતિજીનું આહ્વાન કર્યું.સિંધુને મારવા માટે, ભગવાન ગણેશએ પોતાના વાહન તરીકે મોરને પસંદ કર્યો અને છ હાથવાળા અવતાર ને ધારણ કર્યા. ભક્તો ‘ગણપતિ બાપ્પા મોર્યા’ ના નારા સાથે આ અવતારની પૂજા કરે છે. આ જ કારણ છે કે જ્યારે ગણેશ વિસર્જન કરવામાં આવે છે, ત્યારે ‘ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તું જલ્દી આવ’’ ના નારા લગાવવામાં આવે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : સ્ટોર રૂમમાં ભૂલમાં પણ આ સામાન ન રાખો-બની શકે છે ગરીબીનું કારણ

લાલબાગ કા રાજા એ મુંબઈનું સૌથી લોકપ્રિય જાહેર ગણેશ મંડળ છે, જેની સ્થાપના વર્ષ 1934માં કરવામાં આવી હતી. તે મુંબઈના લાલબાગ ( Lalbaugcha Raja  ) , પરેલ વિસ્તારમાં આવેલું છે, તેથી તેને લાલબાગનો રાજા (Lalbag cha Raja)પણ કહેવામાં આવે છે. લાલબાગના રાજા, લાલબાગના ભગવાન ગણપતિની મૂર્તિના દર્શન કરવા એ પોતાનામાં ભાગ્યશાળી માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે અહીં જે પણ મનોકામનાઓ કરવામાં આવે છે તે અવશ્ય પૂરી થાય છે.લાલબાગના રાજાની ખ્યાતિ કોઈનાથી છુપી નથી. લાલબાગના આ પ્રસિદ્ધ ગણપતિને ‘નવસાચા ગણપતિ’ એટલે કે મનોકામના પૂર્ણ કરનાર ગણપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અહીં દર વર્ષે માત્ર દર્શન કરવા માટે કેટલાય કિલોમીટર લાંબી કતારો લાગે છે જ્યારે લાલબાગના આ રાજાની ગણેશ મૂર્તિનું વિસર્જન સ્થાપનાના દસમા દિવસે, તે ગિરગામ ચોપાટી ખાતે કરવામાં આવે છે.

Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Sun Transit in Aries 2026: સૂર્ય ગોચર ૨૦૨૬: એક મહિનો આ રાશિઓ માટે ભારે? જાણો કોનું નસીબ ખુલશે અને કોણે ડગલે ને પગલે રહેવું પડશે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 5:વાતચીતમાં માહિર અને મિલનસાર, છતાં પ્રોફેશનલ લાઈફમાં કેમ ખાય છે થાપ? જાણો તમારી સબળ અને નબળી બાજુ.
Exit mobile version