Site icon

આજે છે રામ નવમી, આજના પાવન અવસરે આ શુભ મુહૂર્તમાં કરો રામલલ્લાની પૂજા, જાણો વિધિ અને ખાસ ઉપાય

lord Ram

lord Ram

News Continuous Bureau | Mumbai

રામ નવમીનો તહેવાર ભારતમાં શ્રદ્ધા અને આસ્થાની સાથે ઉજવાય છે. રામનવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ પણ થાય છે. હિંદુ ધર્મ શાસ્ત્રના મુજબ આ દિવસે ભગવાન શ્રી રામનુ જન્મ થયો હતો. તેથી આ શુભ તિથિને ભક્ત લોકો રામનવમીના રૂપમાં ઉજવે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરી પુણ્યના ભાગીદાર હોય છે.

Join Our WhatsApp Community

શાસ્ત્રો પ્રમાણે આજના દિવસે ભગવાન વિષ્ણુએ શ્રી રામ સ્વરુપે ધરતી પર જન્મ લીધો હતો. આજે ભગવાન રામની પૂજા કરવાનું વિશેષ મહાત્મ્ય છે. આ ખાસ દિવસે તમામ મઠ અને મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ભગવાન શ્રી રામની પૂજા કરવામાં આવે છે.

આ વર્ષની રામનવમી ખૂબ જ ખાસ રહેવાની છે. કારણ કે, આ વખતે રામ નવમી પર અનેક દુર્લભ સંયોગો બન્યા છે. આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે ભગવાન રામનો જન્મ થયો હતો. ત્યારે પણ ચંદ્ર પોતાની સ્વરાશિમાં હતો. આ સિવાય આ દિવસે બીજા પણ ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે શશ યોગ, ધન યોગ, ગુરુ પુષ્ય યોગ, સર્વસિદ્ધિ યોગ, આમ-સિદ્ધિ યોગ વગેરેની રચના થશે. તેમજ આ દિવસે શનિ 30 વર્ષ પછી કુંભ રાશિમાં રહેશે. એટલા માટે આ દિવસે કરવામાં આવતી પૂજા વિશેષ ફળ આપે છે. ચાલો જાણીએ રામ નવમીના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ .

આ સમાચાર પણ વાંચો : આજે મહાનવમી, માતા સિદ્ધિદાત્રીની પૂજા માટે આ છે શ્રેષ્ઠ મુહૂર્ત, અહીં જાણો મંત્ર અને મુહૂર્ત

રામ નવમી પૂજા વિધિ

રામ નવમીના બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને તાંબાના લોટાથી અર્ઘ્ય ચઢાવો. આ પછી શ્રીરામ અને શ્રીરામચરિતમાનસની પૂજા કરો. ભગવાનને પીળા રંગના ફૂલ, કપડાં, ચંદન વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો, ભોગમાં તુલસીના પાન મૂકીને પ્રસાદ ચઢાવો, ઘરની છત પર ધ્વજ લગાવો અને પછી ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો.
અંતમાં, ભગવાન રામની આરતી કરતી વખતે, ભગવાન રામ, માતા સીતા અને હનુમાનજીની આરતી કરો અને તેમની પાસે સુખ, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ માંગો. આ દિવસે બ્રાહ્મણોને અર્પણ કરવું પણ ખૂબ ફળદાયક છે.

રામ નવમી પૂજા મુહૂર્ત

માન્યતાઓ અનુસાર, ભગવાન રામનો જન્મ મધ્ય સમયગાળામાં એટલે કે અભિજીત મુહૂર્તમાં થયો હતો. આ રામ નવમીના અવસર પર, જો કે, તમે આખો દિવસ ભગવાન રામની પૂજા કરી શકો છો. પરંતુ, મધ્યકાલીન સમયમાં કરવામાં આવતી પૂજા શ્રેષ્ઠ રહેશે. બપોરે 12 થી 1 વાગ્યા સુધીના મધ્યમ સમયમાં પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે. દંતકથા અનુસાર, ભગવાન રામનો જન્મ અભિજિત મુહૂર્ત એટલે કે મધ્યકાલીન સમયગાળામાં થયો હતો. અભિજીત મુહૂર્ત બપોરે 12:01 થી 12:51 સુધી રહેશે. આ ઉપરાંત સવારના ચોઘડિયા મુહૂર્ત મુજબ સવારે 6.13 થી 7.46 સુધીનો મુહૂર્ત પણ પૂજા માટે શુભ રહેશે.

ઉપાય

સુખી દામ્પત્ય જીવન માટે રામ નવમી પર ‘શ્રી રામ રામ રામેત રામે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ શ્રી રામ નામ વરાણે’ આ મંત્રનો જાપ કરો. આ કામ પતિ-પત્નીએ સાથે કરવાનું હોય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા વધે છે. બીજી તરફ ધન પ્રાપ્તિ માટે આ દિવસે શ્રી રામને કેસરયુક્ત દૂધનો અભિષેક કરો અને રામાષ્ટકનો પાઠ કરો. આનાથી પૈસા સંબંધિત દરેક સમસ્યા દૂર થાય છે.

Surya Grahan 2026 Rashifal: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે: જાણો મેષથી મીન સુધી તમામ રાશિઓ પર કેવી થશે અસર; કોના માટે ખુલશે પ્રગતિના દ્વાર?
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Gemology Tips: વ્યાપારમાં મળશે બમણી પ્રગતિ: રત્ન શાસ્ત્રના આ ૩ રત્નો ચમકાવી શકે છે તમારું નસીબ; જાણો કઈ આંગળીમાં અને કયા દિવસે ધારણ કરવા
Surya Nakshatra Parivartan 2026: સૂર્ય અને રાહુનો ખતરનાક સંયોગ! આ રાશિના જાતકોને આર્થિક અને માનસિક ફટકો પડવાની શક્યતા; જાણો તમારી રાશિ પર શું થશે અસર
Exit mobile version