Site icon

Chanakya Niti: આ 3 આદતો તમને ગરીબી તરફ ધકેલશે! કારણ સમજો નહીંતર પસ્તાશો.

Chanakya Niti: ચાણક્યની નીતિઓ ભલે કઠોર લાગે, પરંતુ વાસ્તવમાં તે માનવ કલ્યાણ માટેની છે. જે વ્યક્તિ આચાર્યની વાતને સમજીને જીવનમાં અમલમાં મૂકે છે તેના માટે કોઈપણ કાર્ય મુશ્કેલ નથી રહેતું.

Chanakya Niti These 3 Habits Will Drive You To Poverty! Understand the reason or you will regret it..

Chanakya Niti These 3 Habits Will Drive You To Poverty! Understand the reason or you will regret it..

 News Continuous Bureau | Mumbai

Chanakya Niti:  આચાર્ય ચાણક્યએ મનુષ્યની કેટલીક એવી ખરાબ આદતોનું વર્ણન કર્યું છે. જેના કારણે કેટલાક સમય બાદ મનુષ્યની આર્થિક સ્થિતિ ( Economical Situation ) સારી નથી રહેતી.  

Join Our WhatsApp Community

1) આચાર્ય ચાણક્ય ( Acharya Chanakya ) અનુસાર, વ્યક્તિએ વધુ પડતા પૈસાનો ખર્ચો ( Expense ) ન કરવો જોઈએ. પૈસાનો ક્યારેય વ્યર્થ ખર્ચ ન કરવો જોઈએ. આવું કેટલાક સમય સુધી કરતા રહેવાથી જીવનમાં ગરીબી ( poverty ) આવવાની શક્યતા વધુ રહે છે.

ચાણક્ય અનુસાર જે વ્યક્તિ બિનજરૂરી રીતે પૈસાનો વ્યય કરે છે. તેનાથી હંમેશા પોતાનું જ નુકસાન થાય છે. જે વ્યક્તિ બિનજરૂરી રીતે પૈસા ખર્ચે છે તેની પાસે તે સમયે જ પૈસા નથી હોતા. જ્યારે તેને તેની સૌથી વધુ જરૂર હોય છે.

તેથી, જો તમે વ્યર્થ પૈસા ખર્ચી રહ્યા છો, તો તમારી કમાણીનો થોડો ભાગ બચત માટે પણ રાખવો, તમારા ભવિષ્ય માટે વધુ સારું રહેશે.

2) આચાર્ય ચાણક્ય અનુસાર, વ્યક્તિએ જીવનમાં આળસુ ન હોવું જોઈએ. કારણ કે આળસુ હોવું પણ ગરીબ બનવાનું એક કારણ હોઈ શકે છે. આળસુ માણસ ( lazy man ) સારી તકો પાછળ છોડી દે છે. જેમાં તે સફળતા મેળવી શક્યો હોત.

આ સમાચાર  પણ વાંચો: Western Railway: 9 જૂન ના રોજ અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડશે

3) ચાણક્ય અનુસાર, વ્યક્તિએ ક્યારેય ધનનો ઘમંડ ન કરવો જોઈએ. જેઓ ધનનો અભિમાન કરે છે તેમનામાં ધનની દેવી વાસ કરતી નથી. ચાણક્ય અનુસાર જે લોકો ધનનો ઘમંડ કરે છે તેમની પાસે લાંબા સમય સુધી પૈસા નથી રહેતા. ધીરે ધીરે સંપત્તિમાં ઘટાડો થવા લાગે છે.

આમ ચાણક્ય નિતિ અનુસાર આ 3 આદતો માણસને ક્યારેકને ક્યારેક ગરીબી તરફ ધકેલી શકે છે. તેથી આ આદતને ( Habits ) જીવનમાં ક્યારે પણ અપનાવી જોઈએ નહીં..

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૮
Exit mobile version