Site icon

તમારી સ્થિરતા ડગશે તો જીવનના કોઈપણ ક્ષેત્રે સફળ થઈ શકશો નહીં

ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસુરીજી મહારાજ અને પન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં 99 યાત્રામાં જીવનના લક્ષને વળગી રહેવા માટે પ્રવચન આપવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે પ્રલોભનો વચ્ચે પવિત્રતા અકબંધ રાખવી અત્યંત મુશ્કેલ છે અત્યારે સ્થિરતા જાળવવી અત્યંત મુશ્કેલ છે તમારી સ્થિરતા ડગશે તો જીવનના કોઈપણ ક્ષેત્ર સફળ થઈ શકાશે નહીં જો તમારા સારાપણાને ટકાવી રાખવું હોય તો તમારે લક્ષ્યને વળગી રહ્યા વિના બીજો કોઈ પણ વિકલ્પ નથી

jain Muni

તમારી સ્થિરતા ડગશે તો જીવનના કોઈપણ ક્ષેત્રે સફળ થઈ શકશો નહીં

News Continuous Bureau | Mumbai

ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસૂરીજી મહારાજ અને પન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની નિશ્રામાં 99 યાત્રા આનંદોત્સવ પૂર્વક ચાલી રહ્યો છે આ પ્રસંગે મહારાજે આરાધકોને જણાવ્યું હતું કે ઢાળ ઉતારવામાં હાફ ચડી જવાનું નિશ્ચિત નથી પણ ઢાળ ચડવામાં હાફ ચડવાનું તો નિશ્ચિત છે મોટા બનવાના માર્ગ પર કષ્ટો આવવાનો નિશ્ચિત નથી પરંતુ મહાન બનવાના માર્ગ પર કષ્ટો આવવાનું તો નિશ્ચિત છે જો તમે નક્કી કરેલા લક્ષને વળગી રહેવાની બાબતમાં સ્પષ્ટ ન હોવો અને મજબૂત ન હોવો તો સહન કરવામાં તમે કાયર બની જશો. મેંદી પીસાઈ છે તો જ લાલ રંગ પકડી શકે છે સ્ત્રી પ્રસ્તુતિના કસ્ટો વેઠે છે પછી જ મા બની બને છે આ જગ્યાએ કસ્ટોની ગરમી વધ્યા પછી જ આપણો આત્મા સજ્જન સંત કે પરમાત્મા બની શકે છે પીડા અને પ્રલોભનો પરમાત્માને લક્ષ ભ્રષ્ટ કરી શકે છે અટવાઈ ગયેલ ઉઘરાણી પતાવી દેવાના લક્ષ સાથે જ વેપારીના ઘરે ગયા છો અને એ તમને ફર્સ્ટ ક્લાસ આગતા સ્વાગતતા સાથે ચોખા ઘીનો મગની દાળનો ગરમાગરમ શીરો ખવડાવી દે તેમ જ મીઠા શબ્દોમાં ભરપૂર પ્રેમ સાથે વાતો કરે તો તમે એનાથી અભિભૂત થઈને એ સમયે કડક શબ્દોમાં ઉઘરાણી વસૂલ કરવાની વાત પર પૂર્ણ વિરામ મૂકી દો છો કોઈ જીગરજાન મિત્ર ના લગ્નમાં જવાનું આમંત્રણ મળે છે અને તીર્થયાત્રા રહી જાય છે હોટલમાં યોજાયેલ પાર્ટીમાં જવાની તક ઉભી થાય છે અને તપ કરી લેવાની ભાવનાનું સુરસુરિયું થઈ જાય છે

Join Our WhatsApp Community
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Exit mobile version