Site icon News Continuous Bureau | Mumbai

Samsung: સેમસંગની મોટી જાહેરાત, હવે ડિસ્પ્લે તૂટે કે સ્માર્ટફોન પાણીમાં પડી જાય તો કંપની ઘરે બેઠા ફ્રીમાં રિપેર કરશે! આ છે પ્લાન.

Samsung: સેમસંગ ગ્રાહકો માટે સારા સમાચાર છે. હવે જો ફોનની સ્ક્રીન તૂટી જાય અથવા પાણીમાં ભીની થઈ જાય, તો કંપની વર્ષમાં એક વખત નહીં પરંતુ બે વાર મફતમાં ઉપકરણને રિપેર કરશે. હા, સેમસંગે આજે ભારતીય ગ્રાહકો માટે તેના સેમસંગ કેર+ પ્રોગ્રામના અપગ્રેડની જાહેરાત કરી છે. ગ્રાહકો હવે કોઈપણ વધારાના ખર્ચ વિના વર્ષમાં બે દાવાઓનો લાભ લઈ શકે છે

Samsung's big announcement, now if the display breaks or the smartphone falls in water, the company will repair it at home for free!

Samsung's big announcement, now if the display breaks or the smartphone falls in water, the company will repair it at home for free!

News Continuous Bureau | Mumbai 

Samsung: ભારતમાં સેમસંગ પાસે તેના સ્માર્ટફોન ( Samsung smartphone ) અને ટેબલેટના પોર્ટફોલિયોમાં ઘણા બધા ઉપકરણો છે. આ વિવિધ કિંમતના સેગમેન્ટ્સ અને ફીચર્સ સાથે આવે છે. તેમની સુરક્ષા માટે, કંપની પાસે સેમસંગ કેર+ પ્રોગ્રામ પહેલેથી જ છે, જેને કંપનીએ હવે ફ્રીમાં અપગ્રેડ કર્યો છે. આ અપગ્રેડેશન હેઠળ, વપરાશકર્તાઓ તેમના ઉપકરણને વર્ષમાં બે વાર રિપેર કરાવી શકશે. 

Join Our WhatsApp Channel

આ બે કલેમ દરમિયાન, વપરાશકર્તાઓ સ્ક્રીન પ્રોટેક્શન અને ફોન પાણીમાં પડી જવાથી ભીંજાય જાય છે તો પ્રોટેક્શનનો લાભ લઈ શકે છે. સેમસંગ કેર+ એ ( Samsung Care+  ) ગેલેક્સી ઉપકરણો માટે એક ખાસ પ્રોગ્રામ છે. આમાં વપરાશકર્તાઓને કોઈપણ ઘસારો વિના 100% સુરક્ષા મળે છે.

 Samsung: સેમસંગ કેર+ હેઠળ, વપરાશકર્તાઓને વૉક-ઇન અને પિક-અપની સુવિધા પણ મળે છે….

સેમસંગ કેર+ હેઠળ, વપરાશકર્તાઓને વૉક-ઇન અને પિક-અપની સુવિધા પણ મળે છે. અહીં ગ્રાહક પોતાની અનુકૂળતા મુજબ કોઈપણ વિકલ્પ પસંદ કરી શકે છે અને પોતાના ઉપકરણને રિપેર ( Phone Repair ) કરાવી શકે છે. અહીં તમે ટાઈમ શેડ્યુલ વગેરે પણ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો: Salary Saving Tips: બચત માટે 50-30-20 ફોર્મ્યુલા શું છે, જે તમને કરોડપતિ બનાવી શકે છે?

સેમસંગ કેર+ પ્લાનની પ્રારંભિક કિંમત રૂ. 399 છે, જે સમગ્ર ગેલેક્સી ( Samsung Galaxy ) શ્રેણીને આવરી લે છે. જેમાં ગેલેક્સી સ્માર્ટફોન, ગેલેક્સી ટેબલેટ, ગેલેક્સી વોચ, ગેલેક્સી બુકનો સમાવેશ થાય છે. તેમાં ચાર પ્રકારની યોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં વિસ્તૃત વોરંટી પ્લાન, સ્ક્રીન પ્રોટેક્શન પ્લાન, એક્સિડેન્ટલ ડેમેજ અને લિક્વિડ ડેમેજ પ્લાન અને કોમ્પ્રીહેન્સિવ પ્રોટેક્શન પ્લાનનો સમાવેશ થાય છે. ઉપરાંત, સેમસંગ કેર+ માં, કોઈપણ મુશ્કેલી વિના કલેમ મળે છે, જે શૂન્ય દસ્તાવેજો પર આધારિત છે.

કંપનીએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન યુઝર્સની ( Samsung users ) ડેટા પ્રાઈવસી સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવશે. આ સાથે, જો ગ્રાહક ઇચ્છે તો, તે રિપેરિંગ પ્રક્રિયાને ટ્રેક કરી શકે છે, જેના માટે એક સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે. સેમસંગ કેર+ પ્લાન ઉપકરણ ખરીદતી વખતે જ ખરીદવો પડશે. તે તમામ Galaxy સ્માર્ટફોન સાથે લઈ શકાય છે.

 

Ceiling Fan Science। પંખો તેજ ગતિએ ફરે છે છતાં બ્લેડ પર ધૂળ કેમ જામી જાય છે? જાણો તેની પાછળનું અદભૂત વિજ્ઞાન
Air Cooler। પ્લાસ્ટિક vs મેટલ કુલર કયું કુલર આપે છે શ્રેષ્ઠ ઠંડક? ગરમીથી બચવા માટે પસંદ કરો યોગ્ય વિકલ્પ.
AI Layoffs| ટેક જગતમાં છટણીનું વાવાઝોડું એઆઈ (AI) ના વધતા પ્રભાવને કારણે મેટા અને માઈક્રોસોફ્ટમાં હજારો કર્મચારીઓની નોકરી જોખમમાં
Anthropic Mythos। સાયબર એટેકનો મોટો ખતરો એન્થ્રોપિકનું સૌથી શક્તિશાળી AI મોડેલ ‘Mythos’ હેક થયું? જાણો સમગ્ર વિગત
Exit mobile version