Site icon News Continuous Bureau | Mumbai

OnePlus India:શું ભારતમાં OnePlus બંધ થશે? CEO ના રાજીનામા બાદ કંપનીએ આપ્યું મોટું નિવેદન.

OnePlus India:વનપ્લસ ઈન્ડિયાના CEOએ પદ છોડ્યું; વેચાણમાં 32% થી 38% ના ઘટાડા વચ્ચે કંપનીની સ્પષ્ટતા- "અમારું ઓપરેશન સામાન્ય રીતે ચાલુ રહેશે."

Will OnePlus Exit India? CEO Robin Liu Resigns Amid Falling Sales; Company Issues Official Clarification.

Will OnePlus Exit India? CEO Robin Liu Resigns Amid Falling Sales; Company Issues Official Clarification.

News Continuous Bureau | Mumbai
OnePlus India:ભારતના સ્માર્ટફોન માર્કેટમાં પ્રીમિયમ બ્રાન્ડ તરીકે જાણીતી કંપની OnePlus ને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો ચાલી રહી છે. ઈન્ટરનેટ પર ચર્ચા તેજ થઈ છે કે શું કંપની ભારતમાંથી પોતાનો બિઝનેસ સમેટી રહી છે? આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે કંપનીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી કે તેના ઈન્ડિયા CEO રોબિન લિયુએ (Robin Liu) રાજીનામું આપી દીધું છે. જોકે, કંપનીએ આ અફવાઓને પાયાવિહોણી ગણાવી છે. વનપ્લસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે રોબિન લિયુએ અંગત લક્ષ્યો પર ધ્યાન આપવા માટે પદ છોડ્યું છે. કંપનીએ તેમના યોગદાન બદલ આભાર માન્યો અને સ્પષ્ટ કર્યું કે ભારતમાં તેમનો બિઝનેસ પહેલાની જેમ જ સામાન્ય રીતે ચાલુ રહેશે. રિપોર્ટ્સ મુજબ, કંપનીના સ્ટ્રક્ચરમાં થયેલા ફેરફારોને કારણે આ રાજીનામું પડ્યું હોવાનું મનાય છે, જેમાં લિયુએ હવે ઓપ્પો (Oppo) ગ્રુપના સ્કાઈ લીને રિપોર્ટ કરવાનો હતો.

સેલ્સમાં મોટો ઘટાડો ચિંતાનું મુખ્ય કારણ

ભલે કંપની ભારત છોડવાની વાતને નકારી રહી હોય, પરંતુ આંકડા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2025 માં વનપ્લસના શિપમેન્ટમાં (Sales) આશરે 32% થી 38.8% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. ભારત જેવા મોટા માર્કેટમાં આટલો મોટો ઘટાડો કંપની માટે મોટો ઝટકો માનવામાં આવે છે. આ જ કારણ છે કે CEO ના રાજીનામાને આ ઘટતા વેચાણ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Historic Move:અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર! કરન્સી નોટો પર રાષ્ટ્રપતિ ટ્રમ્પની સિગ્નેચર જોવા મળશે, જાણો શું છે આ મોટા ફેરફાર પાછળનું કારણ.

અગાઉ પણ કંપનીએ આપી હતી સફાઈ

થોડા મહિના પહેલા પણ વનપ્લસ ભારત છોડી રહી હોવાની અફવાઓ ઉડી હતી. ત્યારે રોબિન લિયુએ પોતે સામે આવીને આ વાતોને ખોટી ગણાવી હતી. કંપનીએ યુઝર્સને અપીલ કરી છે કે તેઓ માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખે. અત્યારે કંપનીએ નવા CEO ના નામની જાહેરાત કરી નથી, પરંતુ ઓપરેશન્સ ચાલુ હોવાની ખાતરી આપી છે.

યુઝર્સ માટે શું છે મેસેજ?

વનપ્લસના ચાહકો અને યુઝર્સ માટે હાલમાં ચિંતાનું કોઈ કારણ નથી, કારણ કે સર્વિસ સેન્ટર્સ અને વેચાણ ચાલુ છે. જોકે, માર્કેટ એક્સપર્ટ્સ માને છે કે જો કંપની પોતાના વેચાણના આંકડા સુધારી નહીં શકે અને નવી લીડરશિપ હેઠળ મજબૂત પ્લાન નહીં લાવે, તો આગામી સમયમાં પડકારો વધી શકે છે.

AI Warning। શું AI તમને માનસિક રીતે નબળા બનાવી રહ્યું છે? સાવધાન! નવી રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો કેવી રીતે મગજ પર થાય છે અસર
AI Revives Legend। સંગીત ક્ષેત્રે નવા અધ્યાયની શરૂઆત AI ટેકનોલોજીએ મહાન ગાયક કિશોર કુમારનો અવાજ કર્યો પુનર્જીવિત
AI Chatbot Subscription Scam India। યુઝર્સ સાવધાન! ChatGPT અને Gemini ના સબસ્ક્રિપ્શનના નામે મોટું કૌભાંડ, એક ભૂલ અને ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ
Bluetooth Security Tips 2026। ફોનનું બ્લૂટૂથ હંમેશા ઓન ન રાખશો, જરા સરખી બેદરકારીથી થઈ શકે છે મોટું નુકસાન
Exit mobile version