Site icon News Continuous Bureau | Mumbai

આ મહાન વ્યક્તિઓનાં મૃત્યુ બાદ પણ તેમનાં અંગો સાચવવામાં આવ્યાં છે; જાણો કોણ છે તે વ્યક્તિઓ

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ,1 નવેમ્બર, 2021
સોમવાર.

મૃત્યુ પછીના જીવનની કલ્પના કરવી અશક્ય છે. ઘણા દેશોમાં મૃત્યુ પામેલા લોકોનાં અંગો સાચવવાની પ્રથા છે. ઘણી જગ્યાએ તેમની પૂજા કરવામાં આવે છે. આજે આપણે એવી વ્યકિતઓની વાત કરવાના છીએ કે તેમના મૃત્યુ પછી તેમનાં અંગોને અગ્નિસંસ્કાર આપવામાં ન આવતાં, સાચવવામાં આવ્યાં છે.

Join Our WhatsApp Channel

1. ભગવાન બુદ્ધ

ભગવાન બુદ્ધના દાંત હજુ પણ શ્રીલંકાના કેન્ડી શહેરમાં એક મંદિરમાં રાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. 

2. મુહમ્મદ

તુર્કીના ઇસ્તંબૂલમાં મુહમ્મદની દાઢી રાખવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે.

3. ઈસુ ખ્રિસ્ત

રોમમાં સેન્ટ જ્હૉન લેટરન બેસિલિકામાં ઈસુ ખ્રિસ્તની નાળ રાખવાના દાવાઓ પણ છે. 

આ તે લોકો સાથે થયું છે જેમને મનુષ્ય કરતાં ભગવાન સમાન દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ બીજા ઘણા એવા લોકો છે જેમનાં અંગો સાચવવામાં આવ્યાં છે. 

શું તમે જાણો છો કે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટરોનાં નામ ભારતીય લોકોનાં નામ જેવાં શા માટે છે? અત્યારે જ જાણો

1. ગેલેલિયો

પ્રખ્યાત ઇટાલિયન વૈજ્ઞાનિક ગેલેલિયોની આંગળી અને અંગૂઠો ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યાં છે. 1737માં જ્યારે તેના મૃતદેહને એક કબરમાંથી બીજી કબર પર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેના મૃતદેહમાંથી આ અવયવો દૂર કરવામાં આવ્યા હતા.

હવે ગેલેલિયોનું ટેલિસ્કૉપ તેમ જ તેની આંગળીઓ અને તેની કરોડરજ્જુનું એક હાડકું ફ્લોરેન્સના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે. ગેલેલિયોના અનુયાયીઓ આ મ્યુઝિયમને યાત્રાધામ તરીકે જોવા આવે છે.

2. નેપોલિયન બોનાપાર્ટ

નેપોલિયન બોનાપાર્ટનું શિશ્ન કાપી નાખવામાં આવ્યું હતું. ફ્રાન્સના પ્રસિદ્ધ રાજા નેપોલિયન બોનાપાર્ટના છેલ્લા દિવસો બ્રિટિશ કેદમાં પસાર થયા હતા. 1821માં જ્યારે સેન્ટ હેલેના ટાપુ પર નેપોલિયનનું અવસાન થયું, ત્યારે તેનું પોસ્ટમૉર્ટમ કરનારા અંગ્રેજ સર્જને નેપોલિયનનું શિશ્ન કાપી નાખ્યું.

બાદમાં ડૉક્ટરે તેની મોંઘી કિંમતે હરાજી કરી હતી. એ ઇટાલીના પાદરીએ ખરીદ્યું હતું. વીસમી સદીમાં લંડનની એક વ્યક્તિ એ તેને ઊંચી કિંમતે ખરીદ્યું. પછી એક અમેરિકન વૈજ્ઞાનિકે તેને લગભગ ત્રણ હજાર ડૉલરમાં ખરીદ્યું.

વર્ષ 2007માં આ અમેરિકન વૈજ્ઞાનિકના મૃત્યુ પછી તેમના સંગ્રહમાંની વસ્તુઓ 2016માં હરાજી કરવામાં આવી હતી. એમાં સાયનાઇડની શીશી પણ હતી જેમાંથી જર્મન કમાન્ડર હર્મન ગોરિંગે સાયનાઇડનું સેવન કરીને આત્મહત્યા કરી હતી.

3. આલ્બર્ટ આઇન્સ્ટાઇન

જર્મન-અમેરિકન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન પ્રતિભાશાળી હતા. 1955માં તેમના મૃત્યુ પછી તેમની આંખો કાઢી નાખવામાં આવી હતી અને ન્યૂ યૉર્કમાં સલામત રાખવામાં આવી હતી. આઇન્સ્ટાઇનના મગજના ટુકડા અને આંખો આજે પણ રાખવામાં આવ્યાં છે. એ જ રીતે તેમનું મગજ તપાસ માટે બહાર કાઢવામાં આવ્યું હતું, જેના પર વર્ષો સુધી સંશોધન ચાલુ રહ્યું હતું.

બાદમાં તેમના મગજના ટુકડા તેમની આંખના ડૉક્ટર હેન્રી અબ્રામ્સને સોંપવામાં આવ્યા હતા. જોકે આઇન્સ્ટાઇનના મગજના ટુકડા બાકીના વિશ્વ દ્વારા જોવામાં આવ્યા હતા, પરંતુ તેમની આંખો હજુ પણ અંધારામાં કેદ છે.

4. થોમસ એડિસન

અમેરિકન વૈજ્ઞાનિક થોમસ એડિસનની એક ટેસ્ટ ટ્યુબ અમેરિકાના મિશિગન સિટીના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. કહેવાય છે કે થોમસ એડિસનનો અંતિમ શ્વાસ આ ટેસ્ટ ટ્યુબમાં કેદ છે. લાઇટ બલ્બ, ફોનોગ્રાફ અને કેમેરાની શોધ કરનાર એડિસને 1931 માં અંતિમ શ્વાસ લીધા.

Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
El Nino Alert। ખતરાની ઘંટી! ભારતમાં ‘સુપર એલ નિનો’ મચાવશે હાહાકાર, ચોમાસા પર મોટા સંકટ વચ્ચે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Agra Bedai Aloo Sabzi| આગ્રાની ગલીઓનો અસલી સ્વાદ! તાજમહેલ જેટલો જ પ્રખ્યાત છે અહીંનો આ ખાસ નાસ્તો, મુઘલ કાળ સાથે જોડાયેલા છે તાર
Exit mobile version