Site icon News Continuous Bureau | Mumbai

ગરવી ગુજરાતની સફર.. આઠ દિવસ માટે રેલવેની સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન, SOUથી દ્વારકા સુધીના થશે દર્શન.. મળશે આ ખાસ સુવિધાઓ..

ભારતીય રેલવે ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને દર્શાવવા માટે ગરવી ગુજરાતની ખાસ યાત્રા શરૂ કરશે. IRCTC દ્વારા સંચાલિત આ વિશેષ પ્રવાસી ટ્રેન 28 ફેબ્રુઆરીએ દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશનથી શરૂ થશે, જે 8 દિવસની મુસાફરી કરશે. પ્રવાસીઓની સુવિધા માટે ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર સ્ટેશનો પર બોર્ડિંગ અને ડી-બોર્ડિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે.

Indian Railways Night Travel: New rules to ensure sound sleep for passengers; check guidelines

યાત્રીઓ ધ્યાન આપો… ઈન્ડિયન રેલવેએ જાહેર કર્યા આ 5 મહત્વપૂર્ણ નિયમો, હવે મોબાઈલ લવરની ખૈર નહી

News Continuous Bureau | Mumbai

ભારતીય રેલવે ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને દર્શાવવા માટે ગરવી ગુજરાતની ખાસ યાત્રા શરૂ કરશે. IRCTC દ્વારા સંચાલિત આ વિશેષ પ્રવાસી ટ્રેન 28 ફેબ્રુઆરીએ દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશનથી શરૂ થશે, જે 8 દિવસની મુસાફરી કરશે. પ્રવાસીઓની સુવિધા માટે ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર સ્ટેશનો પર બોર્ડિંગ અને ડી-બોર્ડિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ ખાસ પ્રવાસન પેકેજ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત કેન્દ્ર સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રવાસી ટ્રેન પેકેજનું પ્રથમ સ્ટોપ કેવડિયા સ્ટેશન હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીં આકર્ષણનું કેન્દ્ર બનશે. કુલ 8 દિવસમાં પ્રવાસીઓ 3500 કિલોમીટરનું અંતર કાપશે. પ્રવાસી ટ્રેન પેકેજમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર પુરાતત્વીય ઉદ્યાન, અડાલજ કી વાવ, અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્ય મંદિર અને પાટણ કી રાની કી વાવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સોમનાથ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકા પણ આ પ્રવાસી ટ્રેનના સ્થળો હશે.

આ સમાચાર પણ વાંચો : કબજિયાતની સમસ્યામાં અજમા ઔષધીનું કામ કરે છે, પરાઠા બનાવો અને આ રીતે ખાઓ….

આ સુવિધાઓ મળશે

ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં ફુલ-સર્વિસ રેસ્ટોરન્ટ, આધુનિક રસોડું, કોચમાં શાવર ક્યુબિકલ્સ, વોશરૂમમાં સેન્સર આધારિત કાર્યક્ષમતા, ફુટ મસાજ અને બીજી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે. આખી ટ્રેનમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનના મુસાફરો પાસેથી AC 2 ટાયર માટે 52,250 રૂપિયા પ્રતિ વ્યક્તિથી AC 1 કેબિનમાં 67140 રૂપિયા પ્રતિ વ્યક્તિ વસૂલવામાં આવશે. આ સિવાય AC 1 કૂપ માટે 77400 રૂપિયા સુધીનો દર નક્કી કરવામાં આવ્યો છે. આ 8 દિવસના સંપૂર્ણ IRCTC ટ્રેન ટૂર પેકેજમાં હોટેલમાં રોકાણ, ભોજન, ટ્રાન્સફર, વિઝા અને ગાઈડની સુવિધા સહિત બસમાં જોવાલાયક સ્થળોનો પ્રવાસ સહિતની ટ્રેન મુસાફરીનો સમાવેશ થાય છે.

IRCTC tour Package તીર્થયાત્રાનો સુવર્ણ અવસર IRCTC ના ભારત ગૌરવ પેકેજ સાથે કરો પુરીવારાણસીઅયોધ્યાના દર્શન; જાણો ટૂર તારીખ અને કિંમત
Indian Railways Revised Fines ભારતીય રેલવેમાં નિયમો કડક ટિકિટ વગર મુસાફરી અને દંડમાં ધરખમ વધારો, 1 જુલાઈથી નવા દરો લાગુ
Thrill in the Skies રોમાંચના શોખીન છો? તો આ ૫ જગ્યાઓ પર માણો સ્કાયડાઇવિંગનો આનંદ
Train Ticket booking Tips ટ્રેનમાં જોઈએ મનપસંદ સીટ? ટિકિટ બુક કરતી વખતે આ ૪ સિક્રેટ સેટિંગ્સ બદલો, મુસાફરી થશે આરામદાયક
Exit mobile version