Site icon

ઉત્તરાખંડના આ વિશિષ્ટ બ્રહ્મકમળનું મહત્ત્વ સંજીવની બુટ્ટીથી ઓછું નથી, જુઓ ફૂલ અને જાણો એના વૈદકીય ઉપયોગ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

વેદકાળના ફૂલ બ્રહ્મકમળથી હાલમાં બદ્રીનાથ ધામની નીલકંઠ તળેટી છવાઈ ગઈ છે. એથી ત્યાંનું સૌંદર્ય અનેક ગણું વધી ગયું છે. શું તમે જાણો છો? આ દુર્લભ અને હિમાલયનાં ફૂલોમાં રાજા તરીકે ઓળખાતું બ્રહ્મકમળ મહત્ત્વનાં ઔષધીય ગુણો ધરાવે છે.

આ ફૂલ સંજીવની બુટ્ટી જેવા જ ગુણધર્મો ધરાવે છે. એનો ઉપયોગ અન્ય ઘણી જડીબુટ્ટીઓ બનાવવામાં થાય છે. ઉધરસ, શરદી, તાવ લિવરની સમસ્યા અને ગુપ્તરોગોની દવા બનાવવામાં એનો ઉપયોગ થાય છે. શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી ગયું હોય તો તેને વધારવામાં પણ બ્રહ્મકમળ ઉપયોગી છે. એન્ટિસેપ્ટિક ગુણો હોવાથી ઘા ભરવામાં, મગજ સંબંધિત રોગોમાં, પ્લેગના ઇલાજમાં, માનસિક રોગો અને હૃદયરોગોની દવામાં ઉપયોગી છે. સાપ ડંખે ત્યારે બ્રહ્મકમળથી સારવાર થાય છે. તે સિવાય પણ ઘણી બીમારીઓની દવામાં બ્રહ્મકમળનો વપરાશ થાય છે.

સૌરાષ્ટ્રના આટલા બધા રસ્તા બંધ. રસ્તા પર નદીઓ વહેતી થઈ. જાણો વિગત.

 આ કમળ જ્યાં ખીલે છે એ નીલકંઠ તળેટીમાં ભગવાન શિવજી ચાંદની રાતોમાં તપસ્યા કરતા હોય તેવી આકૃતિ દેખાતી હોવાની લોકોની માન્યતા છે.

કાશ્મીર , મધ્ય નેપાળ, ઉત્તરાખંડમાં ફૂલોની ઘાટીઓમાં, કેદારનાથ-શિવલિંગ ક્ષેત્ર વગેરે ઠેકાણે બહુ સંખ્યામાં બ્રહ્મકમળ ઊગે છે.

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Bharat Gaurav Train: ૫ ઓક્ટોબરથી ચાલશે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન, ભાડાથી લઈને રૂટ સુધી બધું જાણો અહીં
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
Exit mobile version