Site icon

આજનો દિન વિશેષ – વિશ્વ ઓઝોન દિવસ.(16-09-2020)

લોકોને ઓઝોન લેયર અંગે જાગૃત કરવા માટે દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ઓઝોન ડે મનાવવામાં આવે છે. વાતાવરણમાંનો ઓઝોન સ્તર પૃથ્વીને સૂર્યમાંથી નીકળતી હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સુરક્ષિત કરે છે. સૂર્યમાંથી નીકળતી આ કિરણો ત્વચાકોપ સહિતના અનેક રોગોનું કારણ બની શકે છે. કહેવાનો અર્થ એ છે કે, ઓઝોન ના સ્તર વિના પૃથ્વી પર જીવન શક્ય નથી. દર વર્ષે, લોકોને ઓઝોન સ્તરના સંરક્ષણ માટે એક અલગ થીમ તૈયાર કરીને તેના મહત્વ વિશે જાગૃત કરવામાં આવે છે. વર્લ્ડ ઓઝોન ડે 2020 ની થીમ 'જીવન માટે ઓઝોન' છે. ઉલ્લેખનીય છે કે 19 ડિસેમ્બર 1994ના રોજ UN ની જનરલ એસેમ્બ્લીએ 16 સપ્ટેમ્બરે ઓઝોન લેયરના બચાવ માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલો ઓઝોન ડે 16 સપ્ટેમ્બર 1995ના દિવસે ઊજવાયો હતો.

Join Our WhatsApp Community

નોંધનીય છે કે કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવા માટે ચાર મહિનાથી કડક લોકડાઉન હતું. ઘણા સખત નિયમો હજી પણ લાગુ છે. આ જ કારણે પ્રદૂષણ સ્તરમાં ઘટાડો જોવા મળ્યો અને આનાથી ઓઝોન ડેનું મહત્ત્વ વધી ગયું છે.  એક જાણીતી યુનિવર્સિટીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે લોકડાઉનના કારણે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડનારા પદાર્થોમાં ઘટાડો નોંધાયો છે અને આનાથી ઓઝોન સ્તરની ક્વોલિટીમાં 1.5થી 2 ગણી મજબૂતાઈ આવી છે.

Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Vellore Golden Temple: તમિલનાડુનું ‘સ્વર્ણ ધામ’: જ્યાં વપરાયું છે અમૃતસરના સુવર્ણ મંદિરથી બમણું સોનું, 1500 કિલો શુદ્ધ સોનાથી બનેલું છે આ આખું મંદિર
Navapur Railway Station: એક જ સ્ટેશન પણ બે રાજ્ય! ટિકિટ લેવા મહારાષ્ટ્ર જવું પડે અને ટ્રેન પકડવા ગુજરાત, સોશિયલ મીડિયા પર વાયરલ થયું ભારતનું આ અનોખું રેલવે સ્ટેશન
Exit mobile version