Site icon News Continuous Bureau | Mumbai

ભારત ના આ રાજ્ય માં આવેલું છે યમરાજ નું મંદિર- જ્યાં જવાથી ડરે છે લોકો અને કરે છે બહાર થી જ નમન-જાણો તે મંદિર વિશે

News Continuous Bureau | Mumbai

જેમ કે તમે બધા જાણો છો કે ધનતેરસની (Dhanteras)સાંજે યમદેવતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે યમદેવ (Yamraj)માટે દીવો પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિને અકાળ મૃત્યુથી બચાવે છે. પણ એ વાત પણ સાચી છે કે જે વ્યક્તિ પૃથ્વી પર આવે છે તેને એક યા બીજા દિવસે મરવું(death) જ પડે છે. એવું કહેવાય છે કે આત્માને સ્વર્ગ કે નરકમાં મોકલતા પહેલા તેને પૃથ્વી પરના મંદિરમાં(temple) લઈ જવામાં આવે છે, જ્યારે તેના પાપ અને પુણ્યનો હિસાબ કરવામાં આવે છે, ત્યારબાદ યમરાજ તે આત્માને પોતાની સાથે લઈ જાય છે. તમે પણ વિચારતા હશો કે પૃથ્વી પર એવું કયું મંદિર છે, જ્યાં યમરાજ મૃત વ્યક્તિને સાથે લઈ જાય છે, તો ચાલો આજે અમે તમને તે મંદિર વિશે જણાવીએ.

Join Our WhatsApp Channel

આ મંદિર હિમાચલ પ્રદેશના(Himachal pradesh) ચંબા(Chamba) જિલ્લાના ભરમૌર માં આવેલું છે. આ મંદિર વિશે કહેવાય છે કે અહીં અનેક પ્રકારની માન્યતાઓ છે. એવું પણ કહેવાય છે કે આ મંદિરમાં કોઈ જતું નથી અને ઘણા લોકો આ મંદિરથી દૂર રહેવાને યોગ્ય માને છે. કહેવાય છે કે આ મંદિરને જોઈને લોકો બહારથી યમ દેવતા ને નમન કરી લે છે. જોવામાં તમને મંદિર એક ઘર(house) જેવું દેખાશે. તમને જણાવી દઈએ કે, આખી દુનિયામાં યમરાજનું આ એકમાત્ર મંદિર છે.આ મંદિરની અંદર એક ખાલી છે, જે ચિત્રગુપ્તનો ઓરડો (chitragupt room)કહેવાય છે. એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે યમના દૂત તેની આત્માને લેવા જાય છે. પછી આત્માને ચિત્રગુપ્ત પાસે લાવવામાં આવે છે, જ્યાં તે આત્માની ક્રિયાઓનો હિસાબ લખે છે.આ પછી, આત્માને ચિત્રગુપ્તના રૂમની સામેના રૂમમાં લઈ જવામાં આવે છે, જ્યાં યમરાજનો દરબાર હોય છે. અહીં ક્રિયા થાય છે અને પછી ફરીથી નક્કી થાય છે કે વ્યક્તિની આત્માને સ્વર્ગમાં મોકલવામાં આવશે કે નરકમાં.

આ સમાચાર પણ વાંચો : ભારતના આ સ્થળોની મુલાકાત લેવા માટે દુનિયાના ખૂણે ખૂણે થી આવે છે લોકો-વૃદ્ધાવસ્થા પહેલા તમારે પણ અહીં કરવું જોઈએ ટ્રાવેલ

એવું કહેવાય છે કે આ મંદિરના ચાર દરવાજા છે, જે સોના, ચાંદી, તાંબા અને લોખંડના બનેલા છે. યમરાજનો નિર્ણય આવ્યા પછી યમદૂત કર્મો(karma) અનુસાર આત્માને સ્વર્ગ કે નરકમાં લઈ જાય છે. ગરુડ પુરાણમાં પણ યમરાજના દરબારમાં ચારેય દિશામાં ચાર દ્વાર જણાવવામાં આવ્યા છે.

 

Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
El Nino Alert। ખતરાની ઘંટી! ભારતમાં ‘સુપર એલ નિનો’ મચાવશે હાહાકાર, ચોમાસા પર મોટા સંકટ વચ્ચે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Agra Bedai Aloo Sabzi| આગ્રાની ગલીઓનો અસલી સ્વાદ! તાજમહેલ જેટલો જ પ્રખ્યાત છે અહીંનો આ ખાસ નાસ્તો, મુઘલ કાળ સાથે જોડાયેલા છે તાર
Exit mobile version