Site icon

દુનિયામાં ખુશામતખોરો તો અનેક છે પણ કલ્યાણક મિત્રોનો દુષ્કાળ છે

જુનાગઢ ગીરનાર યાત્રિક ભવન ખાતે 99 યાત્રાના આરધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં જૈનાચાર્યએ આરાધકોને 40 દિવસ દરમિયાન મળેલા સંસ્કારોનો વારસો સાચવી રાખવા શીખ આપી હતી તથા તેમણે જણાવ્યું હતું કે જીવનમાં ખુશામતખોરી કરનારા અનેક છે પરંતુ સાચું કહેનારા કલ્યાણક મિત્રોનો દુષ્કાળ છે

wise words of jain muni

દુનિયામાં ખુશામતખોરો તો અનેક છે પણ કલ્યાણક મિત્રોનો દુષ્કાળ છે

News Continuous Bureau | Mumbai

જૂનાગઢના ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો. જેમાં જૈનાચાર્યએ આરાધકોને 40 દિવસ દરમિયાન મળેલા સંસ્કારો નો વારસો સાચવી રાખવા શીખ આપી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જીવનમાં ખુશામતખોરી કરનારા અનેક છે. પરંતુ સાચું કહેનારા કલ્યાણક મિત્રોનો દુષ્કાળ છે. ગિરનારની ગોદમાં આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય હેમ વલ્લભ સુરિજી જયધર્મસુરીજી પદ્મદર્શન વિજયજી સાધ્વીવર્ય હંસકીર્તિજી ની નિશ્રામાં ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો. જેમાં વિદાયોત્સવ અશ્રુની ધોધમાર ધારા સાથે યોજાયો હતો. પદ્મા દર્શન વિજયજીહિત શિક્ષા પ્રદાન કરતા જણાવ્યું હતું કે, જીવનમાં ગમે તે ઘટના બને એનો પ્રેમથી સ્વીકાર કરજો. આ દુનિયામાં ખુશામત કરવા વાળા અનેક છે. પરંતુ સાચી વાત કહેનારા કલ્યાણ મિત્રોનો દુષ્કાળ છે. યંત્રવાદના આક્રમણ સામે યુવા પેઢીને બચાવી મુશ્કેલ છે. તમારી પાસે પોતાનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. ભૌતિકવાદની હરણફાળ વચ્ચે ક્યાંક કુંડાળામાં પગ ન પડી જાય, એ માટે ક્રાંતિવીરો જેવી જવામદી કેળવવી પડશે.

Join Our WhatsApp Community
Weekly Horoscope June 23–29: જૂન નું છેલ્લું અઠવાડિયું છે ભારે! પરંતુ ‘આ’ 5 રાશિઓ માટે કરિયર, પ્રેમ અને પૈસાની દ્રષ્ટિએ શુભ સંકેત
Holi 2025 Precautions: આ વર્ષે ધુળેટીને બનાવો સુરક્ષિત. ઝેરી રંગોથી બચવા શું કરવું અને નકલી રંગો કઈ રીતે પારખવા. જાણો અહીં.
Generation Beta: જનરલ ઝેડ અને આલ્ફાનો યુગ થયો ખતમ, હવે જનરલ બીટાનો યુગ શરૂ; અહીં જાણો તમે કઈ પેઢીના છો…
New Year Resolution: નવા વર્ષમાં નવી શરૂઆત કરો, જ્ઞાન ને બનાવો તમારું માર્ગદર્શક – ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર…
Exit mobile version