Site icon News Continuous Bureau | Mumbai

ICC vs BCB: બાંગ્લાદેશને ICCનો જોરદાર ફટકો, T20 વર્લ્ડ કપની મેચો ભારતની બહાર ખસેડવાની માંગ ફગાવી.

ICC vs BCB: ICCએ બાંગ્લાદેશની વર્લ્ડ કપ મેચો અન્ય સ્થળે ખસેડવાની વિનંતી રદ કરી; હવે બાંગ્લાદેશે કાં તો ભારતમાં રમવું પડશે અથવા ટૂર્નામેન્ટ છોડવી પડશે.

ICC vs BCB:

ICC vs BCB:

News Continuous Bureau | Mumbai

ICC vs BCB: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા રાજકીય વિવાદોની અસર હવે આગામી T20 વર્લ્ડ કપ પર ગંભીરતાથી વર્તાઈ રહી છે. બાંગ્લાદેશમાં સર્જાયેલી અસ્થિરતા અને બંને દેશો વચ્ચેના વણસતા સંબંધોને પગલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ પોતાની મેચો ભારતની બહાર ખસેડવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ ગુહાર લગાવી હતી. જોકે, હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.

Join Our WhatsApp Channel

ICC એ બાંગ્લાદેશની વિનંતી ફગાવી

સ્પોર્ટ્સ તકના અહેવાલ મુજબ, ICCએ બાંગ્લાદેશની એ વિનંતીને સદંતર ફગાવી દીધી છે જેમાં તેમણે તેમની T20 વર્લ્ડ કપની મેચો ભારતની બહાર કોઈ તટસ્થ સ્થળે (Neutral Venue) ખસેડવાની માંગ કરી હતી. બાંગ્લાદેશે સુરક્ષા અને રાજકીય તણાવને ટાંકીને ‘હાઈબ્રિડ મોડલ’ અપનાવવાની દરખાસ્ત મૂકી હતી, પરંતુ ICC એ આ માંગણીને ગ્રાહ્ય રાખી નથી.

શા માટે બાંગ્લાદેશે કરી હતી માંગણી?

મુસ્તફિઝુર રહેમાનની IPL માંથી હકાલપટ્ટી અને ત્યારબાદ બાંગ્લાદેશમાં IPL ના પ્રસારણ પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની છે. બાંગ્લાદેશી નાગરિકોમાં ભારત પ્રત્યેના રોષને જોતા, BCB એ એવી દલીલ કરી હતી કે તેમના ખેલાડીઓ માટે ભારતમાં રમવું સુરક્ષિત નથી. જોકે, ICC એ સ્પષ્ટ કર્યું હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટૂર્નામેન્ટના શિડ્યુલમાં કોઈ ફેરફાર શક્ય નથી.

ભારતનો પક્ષ અને વિશ્વકપનું આયોજન

BCCI અને ભારત સરકારે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે વર્લ્ડ કપનું આયોજન સંપૂર્ણ સુરક્ષા સાથે ભારતમાં જ થશે. ICC ના આ કડક વલણ બાદ હવે બાંગ્લાદેશ પાસે માત્ર બે જ વિકલ્પો બચ્યા છે: કાં તો તેઓ ભારત આવીને મેચો રમે, અથવા તો વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લે. જો બાંગ્લાદેશ ટૂર્નામેન્ટ છોડવાનો નિર્ણય લેશે, તો તેના પર ભારે દંડ અને પ્રતિબંધો પણ લાગી શકે છે.

સત્ય અને ખેલદિલીની કસોટી

ICC નો આ નિર્ણય બાંગ્લાદેશ માટે એક મોટો આંચકો છે. જે રીતે એશિયા કપમાં પાકિસ્તાન માટે ‘હાઈબ્રિડ મોડલ’ અપનાવવામાં આવ્યું હતું, તેવી જ અપેક્ષા બાંગ્લાદેશ રાખી રહ્યું હતું, પરંતુ ICC એ સ્પષ્ટ કરી દીધું છે કે વર્લ્ડ કપ જેવી મોટી ઇવેન્ટમાં આવા ફેરફારો સ્વીકાર્ય નથી. હવે જોવાનું એ રહેશે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આ ઝટકા બાદ શું નિર્ણય લે છે—ક્રિકેટની ભાવનાને જીવંત રાખશે કે રાજકારણને રમત પર હાવી થવા દેશે?

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Kharge Cancels Birthday મલ્લિકાર્જુન ખડગે નહીં ઉજવે જન્મદિવસ જંતરમંતર પર ‘કોકરોચ’ આંદોલનને પગલે કોંગ્રેસ અધ્યક્ષનો નિર્ણય
Exit mobile version