Site icon

Maharashtra Politics : બાળા સાહેબ એ કીધું હતું કે આ માણસનો કદી વિશ્વાસ નહીં કરજે, ઉદ્ધવ ભાઈ તો એના ખભા પર બેઠા.. હવે ક્યાં જશે?

Maharashtra Politics : રાજનીતિમાં વિશ્વાસ કરવો એ મૂર્ખતા ગણાય છે. કદાચ આવી મૂર્ખતા ઉદ્ધવ ઠાકરે એ કરી નાખી છે….

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics :  બાળક સાહેબ ઠાકરે  બહુ કટુ બોલતા, પણ જે બોલતા તે સાચું બોલતા.  તેમના શબ્દો પર લોકોનો વિશ્વાસ હતો.  પરંતુ કદાચ ઉદ્ધવ ઠાકરેને તેમના પિતાના શબ્દો પર વિશ્વાસ  ન હતો.  બાળક સાહેબ ઠાકરે એકવાર નહીં પરંતુ અનેકવાર સાર્વજનિક રીતે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું શરદ પવારનો વિશ્વાસ કદી નહીં કરું.  તેમણે પોતાની રાજનીતિમાં શરદ પવારને હંમેશા દૂર રાખ્યા. . મહારાષ્ટ્રની રાજનીતિમાં બાળાસાહેબ અને શરદ પવારને બે ધ્રુવ માનવામાં આવતા હતા.  એક ઉત્તર ધ્રુવ તો બીજો દક્ષિણ ધ્રુવ. 

Join Our WhatsApp Community

 બાળા સાહેબે પોતાના રાજનૈતિક જીવન દરમિયાન  પોતાની સફર ભાજપ સાથે આગળ ધપાવી.  તેમની સલાહ પર અનેક રાજનૈતિક પાર્ટી અને અનેક નેતાઓ ચાલ્યા પરંતુ ઉદ્ધવ ઠાકરે ચાલ્યા નહીં. 

 ઉદ્ધવ ઠાકરે એ શરદ પવાર પર આંધળો વિશ્વાસ મૂક્યો.  તેમના ખભા પર બેસીને તેઓ મુખ્યમંત્રી બન્યા,  પોતાનું સપનું પૂરું કર્યું. . હવે પક્ષ વગરના થઈ ગયા છે,  તેઓ જેમના ખભા પર બેઠા છે તેમની પોતાની પાસે પોતાનો પક્ષ નથી.  દો બિચારે, બીના સહારે…. જેવી હાલત હાલ દેખાઈ રહી છે. 

ઉદ્ધવ ઠાકરે ને એવું લાગતું હતું કે કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ભરોસાપાત્ર છે.  તેમણે શરદ પવારને પિતામહ કહ્યા.  હવે આવનાર દિવસમાં પરિણામ ભોગવશે… 

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Exit mobile version