Site icon

Maharashtra Politics : બાળા સાહેબ એ કીધું હતું કે આ માણસનો કદી વિશ્વાસ નહીં કરજે, ઉદ્ધવ ભાઈ તો એના ખભા પર બેઠા.. હવે ક્યાં જશે?

Maharashtra Politics : રાજનીતિમાં વિશ્વાસ કરવો એ મૂર્ખતા ગણાય છે. કદાચ આવી મૂર્ખતા ઉદ્ધવ ઠાકરે એ કરી નાખી છે….

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics :  બાળક સાહેબ ઠાકરે  બહુ કટુ બોલતા, પણ જે બોલતા તે સાચું બોલતા.  તેમના શબ્દો પર લોકોનો વિશ્વાસ હતો.  પરંતુ કદાચ ઉદ્ધવ ઠાકરેને તેમના પિતાના શબ્દો પર વિશ્વાસ  ન હતો.  બાળક સાહેબ ઠાકરે એકવાર નહીં પરંતુ અનેકવાર સાર્વજનિક રીતે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું શરદ પવારનો વિશ્વાસ કદી નહીં કરું.  તેમણે પોતાની રાજનીતિમાં શરદ પવારને હંમેશા દૂર રાખ્યા. . મહારાષ્ટ્રની રાજનીતિમાં બાળાસાહેબ અને શરદ પવારને બે ધ્રુવ માનવામાં આવતા હતા.  એક ઉત્તર ધ્રુવ તો બીજો દક્ષિણ ધ્રુવ. 

Join Our WhatsApp Community

 બાળા સાહેબે પોતાના રાજનૈતિક જીવન દરમિયાન  પોતાની સફર ભાજપ સાથે આગળ ધપાવી.  તેમની સલાહ પર અનેક રાજનૈતિક પાર્ટી અને અનેક નેતાઓ ચાલ્યા પરંતુ ઉદ્ધવ ઠાકરે ચાલ્યા નહીં. 

 ઉદ્ધવ ઠાકરે એ શરદ પવાર પર આંધળો વિશ્વાસ મૂક્યો.  તેમના ખભા પર બેસીને તેઓ મુખ્યમંત્રી બન્યા,  પોતાનું સપનું પૂરું કર્યું. . હવે પક્ષ વગરના થઈ ગયા છે,  તેઓ જેમના ખભા પર બેઠા છે તેમની પોતાની પાસે પોતાનો પક્ષ નથી.  દો બિચારે, બીના સહારે…. જેવી હાલત હાલ દેખાઈ રહી છે. 

ઉદ્ધવ ઠાકરે ને એવું લાગતું હતું કે કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ભરોસાપાત્ર છે.  તેમણે શરદ પવારને પિતામહ કહ્યા.  હવે આવનાર દિવસમાં પરિણામ ભોગવશે… 

Illegal Egg Donation: ગેરકાયદે એગ ડોનેશન રેકેટનો પર્દાફાશ: બદલાપુરમાં ૨૦થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓ બની શિકાર; હોર્મોનલ ઇન્જેક્શન આપી થતું હતું શોષણ.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
PM Modi Israel Visit 2026: ‘પ્રિય મિત્ર મોદી…’ નેતન્યાહુના એક મેસેજે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું; ભારત-ઇઝરાયેલ સંબંધો નવી ઊંચાઈએ.
Exit mobile version