Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં MBBSની બેઠક77% વધી, છતાં 80% ડૉક્ટરોની અછત સર્જાઈ છે, આરોગ્ય ક્ષેત્રેકંગાળ દેખાવ

સરકારી રિપોર્ટ રુરલ હેલ્થ સ્ટેટેસ્ટિક્સ 2020-21 અનુસાર દેશના પીએચસી (પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર) અને સીએચસી(સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર) પ૨ 4.3%થી લઈને 80% સુધી ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે. 2005માં દેશભરના પીએચસીમાં કુલ 20,308 એલોપથી ડૉક્ટર હતા જે 2021માં 31,716 થઈ ગયા. તેમ છતાં જરૂરિયાત અનુસાર આ આંકડો ઓછો છે. સીએચસીમાં જરૂરિયાત મુજબ 83% સર્જન, 74% સ્ત્રી રોગ નિષ્ણાત, 80% બાળરોગ નિષ્ણાત અને 82% ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે.

MBBS Seats Increased By 77 in The Last 8 Years Yet Doctors Are Reduced By 80

ભારતમાં MBBSની બેઠક77% વધી, છતાં 80% ડૉક્ટરોની અછત સર્જાઈ છે, આરોગ્ય ક્ષેત્રેકંગાળ દેખાવ

News Continuous Bureau | Mumbai

દેશ (India) માં એક બાજુ મેડિકલ કોલેજોની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યાં સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ડૉક્ટરો (Doctors) ની ભારે અછત વર્તાઈ રહી છે. જોકે ગત 8 વર્ષો(2014-2022)માં દેશમાં મેડિકલ કોલેજો (MBBS) 387થી વધીને 648 થઇ ચૂકી છે એટલે કે 67%નો વધારો નોંધાયો છે. આ દરમિયાન એમબીબીએસની સીટો પણ 77%ના વધારા સાથે 54,348થી વધીને 96,072 થઇ ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટ ગવર્નન્સ રિફોર્મ્સ ઈન મેડિકલ એજ્યુકેશન(2014- 2022)’માં આ આંકડા સામે આવ્યા હતા.

Join Our WhatsApp Channel

પણ વધુ એક સરકારી રિપોર્ટ રુરલ હેલ્થ સ્ટેટેસ્ટિક્સ 2020-21 અનુસાર દેશના પીએચસી (પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર) અને સીએચસી(સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર) પ૨ 4.3%થી લઈને 80% સુધી ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે. 2005માં દેશભરના પીએચસીમાં કુલ 20,308 એલોપથી ડૉક્ટર હતા જે 2021માં 31,716 થઈ ગયા. તેમ છતાં જરૂરિયાત અનુસાર આ આંકડો ઓછો છે. સીએચસીમાં જરૂરિયાત મુજબ 83% સર્જન, 74% સ્ત્રી રોગ નિષ્ણાત, 80% બાળરોગ નિષ્ણાત અને 82% ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે. પીએચસીમાં 31% મહિલા એએનએમની અછત છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટમાં દાવો કરાયો છે કે દેશમાં પ્રતિ 834 લોકોએ એક ડૉક્ટર છે જેડબ્લ્યુએચઓના 10001ના પ્રમાણની નજીક છે, પણ મહત્ત્વપૂર્ણ એ છે કે દેશમાં 27% ડૉક્ટર સક્રિય નથી. ડૉક્ટરોની સૌથી વધુ અછત ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ, યુપી અને બિહારમાં છે. દેશના શહેરી વિસ્તારોમાં કુલ 5481 પીએચસી છે પણ વસતીના પ્રમાણમાં તે 44% ઓછાં છે. ફક્ત 66% અર્બન-પીએચસી જ સરકારી ભવનોમાં ચાલી રહ્યાં છે 27% હજુ ભાડાની ઈમારતોમાં સંચાલિત છે.

આ સમાચાર પણ વાંચો: Income Tax News : ઘરમાં કેટલી રોકડ રાખી શકશો? જાણો વિગત અહીં, નહીં તો 137 ટકા ટેક્સ ભરવો પડશે

Parliament Ram Mandir Donation Debate સંસદમાં આજે પણ ચાલુ રહેશે ગતિરોધ? સરકાર ચર્ચા માટે તૈયાર, રામ મંદિર ચઢાવા ચોરી મુદ્દે અડગ વિપક્ષ
Amit Shah Debate NEET Paper Leak ‘સરકાર પાસે છુપાવવા માટે કશું નથી’, સંસદમાં NEET વિવાદ પર ચર્ચા માટે અમિત શાહનો વિપક્ષને ખુલ્લો પડકાર
AAIB Probes Air India Turbulence Incident હવામાં એવું તો શું થયું કે મુસાફરોના શ્વાસ થંભી ગયા? એર ઈન્ડિયા ઘટનામાં AAIB ની એન્ટ્રી!
FCRA Bill JPC Review વિદેશી ફંડિંગ કાયદામાં ફેરફારથી કેમ મચ્યો હોબાળો? ચર્ચનો વિરોધ અને યુએસ દબાણ વચ્ચે સરકાર માટે JPC કેમ બન્યું સેફટી વાલ્વ
Exit mobile version