Site icon News Continuous Bureau | Mumbai

આખરે આ રાજનૈતિક પાર્ટી મુંબઈગરાઓની મદદે આવી- મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે મુંબઈમાં મુસાફરોને સીટબેલ્ટ નો ઉપયોગ કરવાની ફરજ પાડવી જોઈએ નહીં- હવે આંદોલન પણ કરશે

News Continuous Bureau | Mumbai

1 નવેમ્બરથી મુંબઈમાં તમામ વાહનો માટે  આગળ બેસનાર તેમજ પાછળ બેસનાર તમામ પેસેન્જર માટે સીટબેલ્ટ (seatbelt) ફરજિયાત બનાવવામાં આવ્યા છે અને ટ્રાફિક પોલીસે (Traffic Police) માહિતી આપી છે કે 11 નવેમ્બર સુધી કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં પરંતુ માત્ર જાગૃતિ જગાવવામાં આવશે. ટેક્સીમેન યુનિયને (Taximan Union) આ આદેશનો વિરોધ કર્યા બાદ હવે MNSએ પણ આની વિરુદ્ધ મુખ્યમંત્રી એકનાથ શિંદેને (Chief Minister Eknath Shinde) પત્ર લખ્યો છે. MNS એ ચેતવણી આપી છે કે જો સાથી યાત્રીઓ પર સીટબેલ્ટ ની ફરજ પાડવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

MNSના જનરલ સેક્રેટરી અને ટ્રાન્સપોર્ટ સેનાના (General Secretary and Transport Army)  પ્રમુખ સંજય નાઈકે (Sanjay Naik)  મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખીને આવી માંગણી કરી છે.

આ સમાચાર પણ વાંચો:  અંધેરીમાં ગોખલે બ્રિજની બે લેન આ તારીખ સુધીમાં ખોલવામાં આવશે

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ટ્રાફિકની ભીડની સમસ્યા સૌથી વધુ છે, તેથી શહેરમાં પાછળ બેઠેલા લોકો માટે સીટબેલ્ટ ફરજિયાત નથી. મુંબઈમાં મેટ્રોના કામો, પુલ, નબળી ગુણવત્તાના રસ્તાઓ, ખાડાઓ અને રસ્તાના કામો ચાલી રહ્યા છે. જેના કારણે મુંબઈમાં ટ્રાફિક ટ્રાફિકની સમસ્યા ભારે છે.  આથી મુંબઈ શહેરને આવા કાયદા માંથી મુક્તિ મળવી જોઈએ તેવી અવાજ ઉઠી છે.

Sharad Pawar Meets PM Narendra Modi જંતરમંતર આંદોલન વચ્ચે મોટો ઘટનાક્રમ, શરદ પવારે પીએમ મોદી સાથે કરી મુલાકાત, જંતરમંતર આંદોલન પર મંથન
Supreme Court Notice to Rebel Shiv Sena UBT MPs મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો વળાંક, બાગી સાંસદોની મુશ્કેલી વધી, બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા સર્વોચ્ચ અદાલતનો આદેશ
Supreme Court Parliament March Lathicharge જંતરમંતર પ્રદર્શન લાઠીચાર્જ કેસમાં કોર્ટનો હસ્તક્ષેપથી સ્પષ્ટ ઈનકાર, જાણો અદાલતે શું આપી દલીલ
Rahul Gandhi NEET Controversy Protest રાહુલ ગાંધીના પ્રદર્શન વચ્ચે સરકારનું સ્પષ્ટીકરણ, NEET મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર, પણ રાજીનામુ
Exit mobile version