Site icon News Continuous Bureau | Mumbai

PM Modi: ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં PM મોદીએ મેક ઈન ઇન્ડિયા પર ભાર આપતા કહી આવી વાત .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે UPITS ના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. આ ટ્રેડ શોનો હેતુ માત્ર રોકાણ અને વેપારને પ્રોત્સાહન આપવાનો જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવાનો પણ છે.

PM Modi Birthday જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

PM Modi Birthday જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

News Continuous Bureau | Mumbai
PM Modi વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો (UPITS) ના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. આ ટ્રેડ શો ગ્રેટર નોઇડાના ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં 25 થી 29 સપ્ટેમ્બર સુધી યોજાશે. આ શોમાં રાજ્યની ઔદ્યોગિક, કૃષિ, સાંસ્કૃતિક અને ઇનોવેશન ક્ષમતાઓનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવશે. આ મેગા ટ્રેડ શોનો ઉદ્દેશ્ય માત્ર રોકાણ અને વેપારને પ્રોત્સાહન આપવાનો જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવાનો પણ છે.

આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય

વડાપ્રધાન મોદીએ ટ્રેડ શોના ઉદ્ઘાટન દરમિયાન કહ્યું કે આ ટ્રેડ શોનો ઉદ્દેશ્ય દેશને આત્મનિર્ભર બનાવવાનો છે. ‘મેક ઇન ઇન્ડિયા’ પર અમારું ધ્યાન છે. અમે કોઈપણ વસ્તુ માટે બીજા પર નિર્ભર રહેવા માંગતા નથી. અમે ચિપથી લઈને શિપ સુધી ભારતમાં જ બનાવવા માંગીએ છીએ. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે અમે વિકસિત ભારત 2047 ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. પીએમએ જણાવ્યું કે આ વખતે ઇન્ટરનેશનલ ટ્રેડ શોમાં રશિયા ભારતનો ભાગીદાર દેશ હશે.

Join Our WhatsApp Channel

‘એક જિલ્લો એક ઉત્પાદન’ બનશે વૈશ્વિક

આયોજકોએ જણાવ્યું કે હોલ નંબર-9 માં ‘એક જિલ્લો એક ઉત્પાદન’ (ODOP) પેવેલિયન સજાવાશે, જેમાં 343 સ્ટોલ દરેક જિલ્લાના એક પ્રખ્યાત ઉત્પાદનને રજૂ કરશે. ભદોહીની કાર્પેટ, ફિરોઝાબાદના ગ્લાસવર્ક, મુરાદાબાદના મેટલવેર અને સહારનપુરની કોતરણી જેવી વસ્તુઓ ‘લોકલ થી ગ્લોબલ’ બનવાની યાત્રાને નવી દિશા આપશે. આ પેવેલિયન માત્ર હસ્તકલાને વૈશ્વિક ઓળખ નહીં આપે, પરંતુ સ્ટાર્ટઅપ્સ, ડિઝાઇનર્સ અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે નેટવર્કિંગ, વેપાર સોદા અને ભાગીદારી માટેની તકો પણ ખોલશે.

આ સમાચાર પણ વાંચો : Elon Musk: માઈક્રોસોફ્ટને ટક્કર આપવા ના ઈરાદા સાથે એલન મસ્કની આ કંપની કરી રહી છે ભરતી, જાણો વિગતે

અગાઉના સંસ્કરણોની સફળતા

આ ટ્રેડ શોના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન 2023માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું હતું. બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા કરવામાં આવ્યું હતું. અને હવે આ મેગા ટ્રેડ શોનું ત્રીજું સંસ્કરણ આયોજિત થયું છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. પહેલા અને બીજા આયોજન દરમિયાન, UPITS કદ, સંખ્યા અને પ્રભાવમાં બમણું આગળ વધ્યું છે. અગાઉના આયોજનો દરમિયાન ₹2,200 કરોડથી વધુના નિકાસ ઓર્ડર મળ્યા હતા, જેના કારણે તે રોકાણ અને નિકાસનું કેન્દ્ર બન્યું છે. આ ત્રીજા સંસ્કરણમાં 2,500 થી વધુ પ્રદર્શકો, 500 વિદેશી ખરીદદારો અને 5 લાખથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે.

NEET Exam। સિસ્ટમના પાપે વધુ એક માસૂમનો જીવ લીધો! પેપર લીક કૌભાંડથી કંટાળી હોનહાર આકાંક્ષાએ કરી આત્મહત્યા
Cockroach Janta Party। સોશિયલ મીડિયાના ૩ ધુરંધરો જેમના મીમ્સે મચાવ્યો હોબાળો! જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ ના પ્રવક્તાઓ વિશે
RBI Treasury Bill Action| આરબીઆઇના નવા નિયમોથી હોમ લોન ગ્રાહકોને ફટકો કે રાહત? જાણો સંપૂર્ણ વિગત
Malviya Nagar Hotel Fire। દિલ્હીના માલવીય નગરમાં ભીષણ અગ્નિકાંડ ૧૧ વિદેશીઓ સહિત ૨૧ લોકોના કરુણ મોત, ગેરકાયદે હોટલો સામે MCD ની મોટી કાર્યવાહી!
Exit mobile version