Site icon News Continuous Bureau | Mumbai

Bhutan: હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન…, પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી

ભારત અને ભૂટાન વચ્ચે બે ક્રોસ બોર્ડર રેલવે કનેક્ટિવિટી વિકસાવવા પર સહમતિ; બાનરહાટ ને સમત્સે અને કોકરાઝારને ગેલેફૂથી જોડતી પ્રથમ ક્રોસ બોર્ડર રેલવે પરિયોજના.

Bhutan હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન..., પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી

Bhutan હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન..., પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી

News Continuous Bureau | Mumbai
ભારત અને ભૂટાનની સરકારો વચ્ચે સરહદ પાર રેલવે પરિયોજનાઓ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ સહમતી બની ગઈ છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ સોમવારે આ વાતની જાહેરાત કરી દીધી છે. માહિતી મુજબ, આ ભારત અને ભૂટાન વચ્ચેની એવી પ્રથમ ક્રોસ બોર્ડર રેલ પરિયોજના થવા જઈ રહી છે. આ રેલ પરિયોજના બંને દેશોના કયા હિસ્સાઓને જોડશે અને તેનો ફાયદો શું થશે, તે વિશે જાણો.

રેલથી જોડાશે ભારત અને ભૂટાનના આ શહેર

સામે આવેલી માહિતી મુજબ, ભારત અને ભૂટાન વચ્ચે રેલવે કનેક્ટિવિટી ને લઈને થયેલી ડીલ હેઠળ પશ્ચિમ બંગાળના બાનરહાટને ભૂટાનના સમત્સેથી જોડવામાં આવશે. આની સાથે જ બીજી લાઇન અસમના કોકરાઝારને ભૂટાનના ગેલેફૂથી જોડશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ રેલ પરિયોજનાની જાહેરાત કરતાં કહ્યું, “આ ભૂટાન સાથે રેલ કનેક્ટિવિટીની પરિયોજનાઓનો પહેલો સેટ હશે. આ સંપર્ક માટે સમજૂતી કરાર પર ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂટાન યાત્રા દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.”

Join Our WhatsApp Channel

રેલ મંત્રીએ શું જણાવ્યું?

ભારત અને ભૂટાન વચ્ચે રેલ કનેક્ટિવિટી માટે પરિયોજનાને મંજૂરી મળવા પર કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું, “આ પરિયોજના ભૂટાનના બે મહત્વના શહેરોને જોડી રહી છે. એક ગેલેફૂ છે, જેને માઇન્ડફુલનેસ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, અને બીજું સમત્સે, જે એક ઔદ્યોગિક શહેર છે. આ બંને પરિયોજનાઓ ભારતીય રેલવેના કોકરાઝાર અને બાનરહાટ નેટવર્કથી શરૂ થશે.”

આ સમાચાર પણ વાંચો; Abhishek Sharma: ‘પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ’ અભિષેક શર્માને ભેટમાં મળી અધધ આટલી મોંઘી કાર, કિંમત જાણીને તમારા ઊડી જશે હોશ

પરિયોજનામાં કેટલો ખર્ચ આવશે?

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે, “ભારત-ભૂટાન વચ્ચે રેલ પરિયોજના માટે અનુમાનિત રોકાણ લગભગ ૪૦૩૩ કરોડ રૂપિયા છે. આ રેલ પરિયોજનાની કુલ લંબાઈ આશરે ૯૦ કિલોમીટર છે. ૮૯ કિલોમીટરનું રેલવે નેટવર્ક બનાવવામાં આવશે.” રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, “ભારત, ભૂટાનનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર છે અને ભૂટાનનો મોટા ભાગનો ફ્રી ટ્રેડ ભારતીય બંદરો દ્વારા થાય છે. ભૂટાની અર્થવ્યવસ્થાના વિકાસ અને લોકોની વૈશ્વિક નેટવર્ક સુધી સારી પહોંચ માટે એક સારો અને અવિરત રેલ સંપર્ક હોવો ખૂબ જ જરૂરી છે. આથી જ આ પૂરી પરિયોજના શરૂ કરવામાં આવી છે.”
Five Keywords – Bhutan,Rail Connectivity,Vikram Misri,Ashwini Vaishnav,Cross Border Railway

Nepal Floods ભયાનક તારાજી નેપાળમાં પૂરથી મરણાંક વધીને ૩૩૨ પર પહોંચ્યો, ૨૮૮ ભારતીયો સંપર્ક વિહોણા
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Heavy Devastation ચીનની મોટી ચેતવણીથી હડકંપ નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આગામી ૩ દિવસ અત્યંત જોખમી
Exit mobile version