Site icon News Continuous Bureau | Mumbai

લોકોને વર્ષો સુધી લહેજતદાર પીણું પીવડાવનારા એવા ‘રસના’ કંપનીના સ્થાપક આરીઝ ખંભાતાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું.

 News Continuous Bureau | Mumbai

જાણીતી કંપની ‘રસના’ (soft drink) ના સ્થાપક અને ચેરમેન આરીઝ પીરોજશા ખંભાતા (Rasna founder Areez Khambatta) નું નિધન થયું છે. શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મૃત્યુ સમયે તેઓ 85 વર્ષના હતા. કંપનીએ આ અંગે સત્તાવાર માહિતી આપી છે.

Join Our WhatsApp Channel

આરિઝ ખંભાતા (Rasna founder Areez Khambatta) ની મહેનત અને પ્રયાસોને કારણે દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો નોકરીઓનું સર્જન થયું છે. ફળ આધારિત ઉત્પાદનોના વિકાસથી લાખો ખેડૂતોને ફાયદો થયો. કંપનીએ જણાવ્યું હતું કે રસના (Rasna) થકી દેશભરના ખેડૂતોને (Farmers) બજાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું અને ખેડૂતોની મહેનતનું યોગ્ય વળતર મળ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  જ્યોતિષ: આ રાશિના લોકો જન્મથી જ બની જાય છે કરોડોની સંપત્તિના માલિક, કુબેર દેવ હંમેશા દયાળુ રહે છે

આરિઝ ખંભાતાએ ઉદ્યોગ, વ્યાપાર અને સમાજ સેવા દ્વારા સામાજિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓ અમદાવાદ પારસી પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ હતા. તે ઉપરાંત, તેઓ પારસી-ઈરાનીયન ઝોરોસ્ટ્રિયન સમુદાય (Parsi-Iranian Zoroastrian community) ના સંગઠન WAPIZ ના પ્રમુખ પણ હતા. હાલમાં દેશમાં 18 લાખ રિટેલ આઉટલેટ્સ પર રાસાનું વેચાણ થાય છે. ‘રસના’ કંપની દ્વારા વિવિધ ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવે છે અને દેશ-વિદેશમાં તેની સારી માંગ છે. ઉલ્લેખનીય છે કે ઉનાળા (Summer season) માં દરેકના ઘરમાં જોવા મળતા આ સોફ્ટ ડ્રિંકે મહેમાનોની તરસ પણ છીપાવી છે. દેશ-વિદેશમાં આ સોફ્ટ ડ્રિંકની માંગ છે. ખંભાતાએ 1970ના દાયકામાં મોંઘા સોફ્ટ ડ્રિંકના વિકલ્પ તરીકે ‘રસના’ પ્રોડક્ટ લોન્ચ કરી હતી. ‘સસ્તા કૂલ’ સોફ્ટ ડ્રિંક તરીકે, ‘રસના’ બ્રાન્ડ ટૂંકા ગાળામાં જ દેશભરમાં લોકપ્રિય બની ગઈ.

Advanced GNSS Jammers ભારતીય નેવીની તાકાતમાં વધારો, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આધુનિક Advanced GNSS Jammers માટે કર્યો મોટો કરાર.
Muzaffarabad Mi17 Crash પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં મોટી દુર્ઘટના, Mi17 હેલિકોપ્ટર ક્રેશ; પાઇલટ સહિત તમામ સવારના મોત.
Global Supertanker Demand ઈરાનયુદ્ધ વચ્ચે સુપરટેન્કરની માંગમાં ધરખમ ઉછાળો વિશ્વભરના દેશો કરી રહ્યા છે રેકોર્ડ ખરીદી
Sharad Pawar’s Attack on BJP શરદ પવારનો ભાજપ પર પ્રહાર, ઈન્દિરા ગાંધી પરની ટિપ્પણીની નિંદા, મોદીનેહરુની સરખામણીને ગણાવી ખોટી
Exit mobile version