Site icon News Continuous Bureau | Mumbai

લ્યો બોલો, ઓક્ટોબરમાં ટોયોટાની આ કાર એક પણ ન વેચાઇ, કંપનીએ કરી દીધી બંધ!

 News Continuous Bureau | Mumbai

મારુતિ સુઝુકી (Maruti Suzuki) ની એસ-ક્રોસની જેમ, સુપ્રસિદ્ધ જાપાની ઓટોમેકર ટોયોટા (Toyota) એ પણ પોતાની કાર અર્બન ક્રુઝર (Urban cruiser) ને વેબસાઇટ પરથી હટાવી દીધી છે. કસ્ટમરની ઉદાસીનતાના કારણે કંપનીએ આ કર્યું છે. વાસ્તવમાં આ સબ-કોમ્પેક્ટ એસયુવી (SUV) ને ઓક્ટોબર મહિનામાં એક પણ કસ્ટમર મળ્યો ન હતો અને તેનું વેચાણ ‘0’ રહ્યું હતું.

Join Our WhatsApp Channel

દર મહિને આટલા યુનિટનું વેચાણ થતું હતું

રુશલેનના રિપોર્ટ અનુસાર ઓક્ટોબર 2022માં કારના સેલના આંકડાઓ અનુસાર ટોયોટા અર્બન ક્રુઝરનું એક પણ યુનિટ વેચાયું ન હતું. અગાઉ મારુતિ સુઝુકીએ પણ આવું પગલું ભર્યું હતું. કંપનીના S-Cross ને સતત ત્રણ મહિના સુધી કોઇ કસ્ટમર મળ્યો ન હતો જેના પછી વેબસાઇટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટોયોટાની અર્બન ક્રુઝર દર મહિને સરેરાશ 2,000થી 3,000 યુનિટ વેચતી હતી. પરંતુ ઓક્ટોબર 2022માં તેનું સેલ શૂન્ય પર આવી ગયું.

આ સમાચાર પણ વાંચો: ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

ટોયોટા અર્બન ક્રુઝર કિંમત (Toyota Urban Cruiser Price)

જ્યારે જાપાની ઓટોમેકર ટોયોટાએ તેની સબ-કોમ્પેક્ટ એસયુવી, અર્બન ક્રુઝર લોન્ચ કરી, ત્યારે તેને કસ્ટમર તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. તેની કિંમત 9.03 લાખ રૂપિયાથી 11.73 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે. પરંતુ બજારમાં આ સીરીઝમાં કસ્ટમરને વધુ ઓપ્શન મળતાં તેનો કસ્ટમર આધાર ઘટતો ગયો અને તે એટલું ઘટી ગયું કે એક મહિનામાં એક પણ યુનિટ વેચી શકાયું નહીં અને કંપનીને તેની વેબસાઇટ પરથી તેને દૂર કરવાની ફરજ પડી.

સપ્ટેમ્બરમાં માત્ર આટલી કાર વેચાઇ હતી

મીડિયા રિપોર્ટ્સમાં એવી પણ શક્યતાઓ છે કે કંપનીએ અર્બન ક્રુઝરને બંધ કરી દીધી છે. જો કે ટોયોટા દ્વારા આ અંગે કોઇ ઓફિશિયલ ટિપ્પણી કરવામાં આવી નથી. માત્ર ઓક્ટોબરમાં જ નહીં પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટોયોટા અર્બન ક્રુઝરના સેલમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ડેટા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં માત્ર 330 યુનિટ્સનું સેલ થયું હતું.

મારુતિ અર્બન ક્રુઝર બનાવે છે

ટોયોટાનો મારુતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki India) સાથે કરાર છે. આ અંતર્ગત મારુતિ કંપની માટે અર્બન ક્રુઝર બનાવે છે. વાસ્તવમાં, અર્બન ક્રુઝર એ મારુતિની વિટારા બ્રેઝા અને ગ્લાન્ઝા મારુતિની (Maruti’s Vitara Brezza and Glanza)  બલેનોનું રી-બેજ વર્ઝન છે. તે 105PS અને 138Nm સાથે 1.5-લિટર પેટ્રોલ એન્જિન (5-સ્પીડ મેન્યુઅલ અથવા 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે) મેળવે છે.

આ સમાચાર પણ વાંચો: કામના સમાચાર – બેંક લોકર સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર – RBI એ કહ્યું- વસ્તુ રાખતા પહેલા જાણી લો આ નિયમો

સેલ લાંબા સમયથી મજબૂત

ભલે ટોયોટા મોટર્સે હવે તેની વેબસાઇટ પરથી અર્બન ક્રુઝરને બંધ કરી દીધું છે, પરંતુ આ વાહન કસ્ટમરની ફેવરિટ લિસ્ટમાં લાંબા સમયથી છે. આ વર્ષે એપ્રિલ સુધી તેની 20 લાખ કાર વેચાઇ ચૂકી છે. કંપનીએ તેની 20 લાખમી કાર કેરળના તિરુચિરાપલ્લીના કસ્ટમરને ડિલિવરી કરી હતી.

Sharad Pawar Meets PM Narendra Modi જંતરમંતર આંદોલન વચ્ચે મોટો ઘટનાક્રમ, શરદ પવારે પીએમ મોદી સાથે કરી મુલાકાત, જંતરમંતર આંદોલન પર મંથન
Supreme Court Notice to Rebel Shiv Sena UBT MPs મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો વળાંક, બાગી સાંસદોની મુશ્કેલી વધી, બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા સર્વોચ્ચ અદાલતનો આદેશ
Supreme Court Parliament March Lathicharge જંતરમંતર પ્રદર્શન લાઠીચાર્જ કેસમાં કોર્ટનો હસ્તક્ષેપથી સ્પષ્ટ ઈનકાર, જાણો અદાલતે શું આપી દલીલ
Rahul Gandhi NEET Controversy Protest રાહુલ ગાંધીના પ્રદર્શન વચ્ચે સરકારનું સ્પષ્ટીકરણ, NEET મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર, પણ રાજીનામુ
Exit mobile version