Site icon

Bangladesh idols: બાંગ્લાદેશમાં હિન્દુઓની મૂર્તિઓની તોડફોડનું સત્ર યથાવત; ત્રણ મંડપોમાં મૂર્તિઓનું ખંડન, આટલા મંડપો અસુરક્ષિત

વચગાળાના વડાપ્રધાન મહંમદ યુનૂસે સુરક્ષાનું આશ્વાસન આપવા છતાં હુમલાઓ ચાલુ; જમાલપુર, ઝેનાઇદાહ અને સાતખીરા જિલ્લામાં મૂર્તિ ખંડન

Bangladesh idols બાંગ્લાદેશમાં હિન્દુઓની મૂર્તિઓની તોડફોડનું સત્ર યથાવત

Bangladesh idols બાંગ્લાદેશમાં હિન્દુઓની મૂર્તિઓની તોડફોડનું સત્ર યથાવત

News Continuous Bureau | Mumbai
બાંગ્લાદેશમાં મહંમદ યુનૂસની વચગાળાની સરકાર આવ્યા પછી પણ ત્યાંના હિન્દુ સમુદાય પર અત્યાચાર ચાલુ હોવાનું જોવા મળી રહ્યું છે. આગામી નવરાત્રિની દુર્ગાપૂજા પહેલાં અનેક વિસ્તારોમાં મંદિરોની તોડફોડ થઈ રહી છે.બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન ડો. મહંમદ યુનૂસે અનેક વિસ્તારોની મુલાકાત લઈને ત્યાંના હિન્દુ સમુદાયને સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં બાંગ્લાદેશમાં શરૂ થયેલી મૂર્તિઓની તોડફોડ સુરક્ષા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. અત્યાર સુધીમાં જમાલપુર, ઝેનાઇદાહ અને સાતખીરા આ ત્રણ જિલ્લાના ત્રણ પૂજા મંડપોમાં મૂર્તિઓ પર હુમલો થયો છે.

તારીખ મુજબ હુમલાની ઘટનાઓ

Bangladesh idols વિવિધ જિલ્લાઓમાં સપ્ટેમ્બર મહિનામાં થયેલા હુમલાની વિગતો નીચે મુજબ છે:
૨૧ સપ્ટેમ્બર: સવારે જમાલપુર જિલ્લાના સરીશાબારી ઉપજિલ્લામાં સાત દુર્ગાપૂજાની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી. પોલીસે હબીબૂર રહેમાનની ધરપકડ કરી.
૨૨ સપ્ટેમ્બર: ઝેનાઇદાહ જિલ્લાના શૈલકૂપા ઉપજિલ્લામાં ફુલહૌરી હરિતલા સાર્વજનીન પૂજા મંડપ પર હુમલો થયો. અહીંની મૂર્તિઓને નુકસાન પહોંચાડાયું. પોલીસે મોન્જર અલીની ધરપકડ કરી, જેમને માનસિક રીતે બીમાર ગણાવવામાં આવે છે.
૨૪ સપ્ટેમ્બર: સાતખીરા જિલ્લામાં મૂર્તિઓની વિટંબણા કરવામાં આવી અને કપડાં ફાડી નાખવામાં આવ્યા. પોલીસે એક વ્યક્તિની ધરપકડની પુષ્ટિ કરી; પરંતુ વિગતો જણાવી નહોતી.
જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં આઠ જિલ્લામાં આઠ ઘટનાઓની નોંધ થઈ છે. મહાલયા પછી ૩ સ્થળોએ નવા હુમલા થયા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : China Internet Censorship: ચીનનું ‘નકારાત્મક ભાવનાઓ’ સામે અભિયાન શરૂ; સાયબરસ્પેસ પ્રશાસન દ્વારા આટલા મહિના માટે ‘ખરાબ વાઇબ્સ’ પર કડક કાર્યવાહી

પરંપરા ખંડિત અને મંડપ અસુરક્ષિત

કુમિલ્લાના રહેવાસી નંદિતા કુમાર સાહાએ ભય વ્યક્ત કર્યો છે. તેઓ જણાવે છે કે, ગયા વર્ષે તેમના ઘરે હુમલો થયો હતો, તેથી આ વખતે તેમના પરિવારે ગામમાં પૂજા ન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, “અમારા પરિવારમાં સદીઓથી આ પરંપરા છે, પરંતુ ડરના કારણે અમે અટક્યા છીએ.” આમ, બાંગ્લાદેશની અસ્થિરતાને કારણે ત્યાંના હિન્દુઓની ધાર્મિક પરંપરાઓ ખંડિત થઈ રહી છે.દરમિયાન, સનાતની જાગરણ જોત નામની સંસ્થાએ જણાવ્યું છે કે, આ વખતે દેશભરમાં ૭૦૦ થી વધુ મંડપો જોખમમાં છે. સાતખીરા જિલ્લો સૌથી સંવેદનશીલ છે, જ્યાં ૫૫ મંડપોની ઓળખ કરવામાં આવી છે.

Conflict Escalates: ઈરાને અમેરિકાનો ૪૮ કલાકનો યુદ્ધવિરામ પ્રસ્તાવ ઠુકરાવ્યો: આક્રમક રીતે કહ્યું- ‘જંગ હવે અમારી શરતો પર જ અટકશે!
US-Iran Conflict Escalates: તેહરાનનો બહેરીન અને કુવૈત પર હુમલો: અમેરિકાના ૨ ફાઈટર જેટ તોડી પાડ્યા બાદ ઈરાને મચાવ્યો ખળભળાટ.
Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે
Trump Army Leadership Shakeup: ટ્રમ્પની પોતાની જ સેના પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’! જનરલ રૅન્ડી જ્યોર્જને કર્યા ડિસમિસ, પેન્ટાગોનથી વોશિંગ્ટન સુધી મચ્યો હાહાકાર
Exit mobile version