Site icon News Continuous Bureau | Mumbai

Vande Bharat : ફરી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, મેરઠ-મુઝફ્ફરનગર રેલવે ટ્રેક પર હુમલો, અરીસા પર નિશાન તાક્યું

Vande Bharat : વંદે ભારત એક્સપ્રેસના E1 કોચ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ટ્રેન ગયા મહિને જ શરૂ કરવામાં આવી છે. આરપીએફએ પથ્થરબાજોની શોધ શરૂ કરી છે.

Vande Bharat Express: Vande Bharat makeover for Indian Railways; but what needs to be done for the common man’s shubh-yatra?

Vande Bharat Express: Vande Bharat makeover for Indian Railways; but what needs to be done for the common man’s shubh-yatra?

News Continuous Bureau | Mumbai

Vande Bharat : વંદે ભારત ટ્રેન (Train)પર ફરી એકવાર પથ્થરમારો થયો છે. ગઈકાલે રાત્રે (18-19 જૂન) દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો(Stone Pelting) કરવામાં આવ્યો હતો. મેરઠ-મુઝફ્ફરનગર રેલવે ટ્રેકના નારા જડોદા રેલવે સ્ટેશન પરથી પસાર થતી વખતે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેનની વિન્ડશિલ્ડ પર સ્ક્રેચના નિશાન હતા. ટ્રેનમાં કેટલાક મુસાફરોએ તેનો વીડિયો બનાવ્યો હતો.
ANIએ રેલવેને ટાંકીને કહ્યું કે વંદે ભારત(Vande Bharat) એક્સપ્રેસના E1 કોચ પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી. રેલવેનું કહેવું છે કે દિલ્હી મંદારની આરપીએફ ટીમ આરોપીને પકડવા માટે કામ કરી રહી છે. જોકે નારા જડોદાના રેલવે સ્ટેશન માસ્તર પથ્થરમારાની ઘટનાને નકારી રહ્યા છે.

Join Our WhatsApp Channel

Vande Bharat : ટ્રેન 29 મેના રોજ શરૂ થઈ હતી

29 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેહરાદૂનથી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશન સુધી ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી હતી. જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે દહેરાદૂન પહોંચ્યા હતા.

Vande Bharat : જાન્યુઆરીથી પથ્થરમારાની 7મી ઘટના

જાન્યુઆરી 2023 પછી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની આ 7મી ઘટના છે. અગાઉ મે મહિનામાં કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આવી જ ઘટના 6 એપ્રિલે પણ બની હતી, જ્યારે વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો. આ પહેલા જાન્યુઆરીમાં વિશાખાપટ્ટનમમાં જ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો (Attack)થયો હતો.
12 માર્ચે પશ્ચિમ બંગાળમાં વંદે ભારત પર પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં ટ્રેનની બારીના કાચને નુકસાન થયું હતું. ઈસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે પથ્થરમારાની ઘટના મુર્શિદાબાદના ફરક્કામાં બની હતી.
જાન્યુઆરી 2023માં, RPFએ અહેવાલ આપ્યો હતો કે દાર્જિલિંગ જિલ્લામાં પથ્થરમારાને કારણે વંદે ભારત એક્સપ્રેસની બે બારી તુટી ગઈ હતી. તે જ મહિનામાં હાવડાથી ન્યૂ જલપાઈગુડી જતી વંદે ભારત એક્સપ્રેસ પર માલદા પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો:  2023માં 6500 કરોડપતિ ભારત છોડી શકે છે, કયા દેશને થશે સૌથી વધુ ફાયદો?

Indian Spice Exports ચીનની ચાલબાજી અને યુધ્ધની અસરથી મસાલાની નિકાસ રૂંધાઇ
India Oman Trade Corridor હોર્મુઝ (Hormuz) પર નિર્ભરતાનો અંત ૩૦ વર્ષથી અટકેલો પ્રોજેક્ટ હવે થશે સાકાર, ગુજરાતથી ઓમાન સુધી ભારત રચી રહ્યો છે નવો ઈતિહાસ
India–Pakistan conflict PoKમાં માનવતા મરી પરવારી પાક આર્મીના અત્યાચાર પર ભારતની લાલ આંખ, ‘દુનિયા જોઈ રહી છે, ઇન્સાફ થશે’
El Niño 2026 Alert૨૦૨૬માં આવી રહ્યો છે સૌથી ભયાનક ‘અલ નીનો’ (El Niño) પેસિફિક મહાસાગરનું તાપમાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ (3.5°C) સુધી ઉકળશે!
Exit mobile version