Site icon News Continuous Bureau | Mumbai

Waqf Amendment: વક્ફ સુધારા બિલમાં શું છે સેકશન 40, જેને કારણે મુસલમાનો ગિન્નાયા છે…

Waqf Amendment: વક્ફ એક્ટનો સેકશન 40 વક્ફ સંપત્તિઓના નિર્ણયનો અધિકાર વક્ફ બોર્ડને આપતો હતો, પરંતુ હવે તેને દૂર કરવાનો પ્રસ્તાવ છે, જેના કારણે બોર્ડની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

What is Section 40 in the Waqf Amendment Bill, Announced by the Union Minister in Lok Sabha

What is Section 40 in the Waqf Amendment Bill, Announced by the Union Minister in Lok Sabha

News Continuous Bureau | Mumbai

Waqf Amendment: 2 એપ્રિલે લોકસભામાં રજૂ કરાયેલા ‘વક્ફ સુધારા બિલ 2024’માં સૌથી મોટો બદલાવ સેકશન 40ને દૂર કરવાનો છે. આ સેકશન જ આ બોર્ડને કોઈપણ જમીનને વક્ફ સંપત્તિમાં બદલવાની મંજૂરી આપતો હતો. અલ્પસંખ્યક બાબતોના મંત્રી કિરણ રિજિજુએ બુધવારે સંસદમાં એક ચર્ચા દરમિયાન તેને વક્ફ અધિનિયમનો સૌથી કઠોર પ્રાવધાન ગણાવ્યો છે.

Join Our WhatsApp Channel

 

રિજિજુએ શું કહ્યું?

રિજિજુએ ચર્ચા દરમિયાન કહ્યું કે, ‘અધિનિયમમાં સૌથી કઠોર પ્રાવધાન સેકશન 40 છે, જેના હેઠળ વક્ફ બોર્ડ કોઈપણ જમીનને વક્ફ સંપત્તિ જાહેર કરી શકતો હતો, પરંતુ સુધારાના હેઠળ અમે તે પ્રાવધાનને દૂર કરી દીધું છે.’ તેનો અર્થ એ છે કે જો કોઈ સંપત્તિ વિશે આ પ્રશ્ન ઉઠે કે તે વક્ફ સંપત્તિ છે કે નહીં, તો વક્ફ બોર્ડ આ પ્રશ્નનો નિર્ણય કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Waqf Board: વકફ બોર્ડમાં નોકરી કેવી રીતે મળે છે, કેટલા લોકોને અને કઈ રીતે રોજગાર આપે છે વકફ: ભરતી પ્રક્રિયા સમજો

સેકશન 40ને દૂર કરવાથી શું બદલાશે?

આ સેકશન હેઠળ, જો વક્ફ બોર્ડ કોઈ સંપત્તિને વક્ફ સંપત્તિ માને છે, તો તેનો આ નિર્ણય અંતિમ હોય છે. તેનો અર્થ એ છે કે સરકાર અથવા કોઈ અન્ય સંસ્થા આ નિર્ણયમાં હસ્તક્ષેપ કરી શકતી નથી. જો કોઈને બોર્ડના નિર્ણયથી આક્ષેપ હોય, તો તે વક્ફ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. હવે બદલાયેલા કાયદા મુજબ. વકફ બોર્ડનો કોઈ પણ નિર્ણય એ અંતિમ નિર્ણય નહીં હોય. તે નિર્ણયને ન્યાયાલયમાં પડકારી શકાય છે.  

One Nation, One Election ‘એક દેશ, એક ચૂંટણી’ના લક્ષ્યને ઝટકો સંયુક્ત સંસદીય સમિતિ રિપોર્ટ માટે માંગશે વધુ સમય, 2034 પહેલા શક્યતા નહિવત
Acharya Dharmadas ‘ચંપત રાય સાથે અમારે કોઈ લેવાદેવા નથી’, આચાર્ય ધર્મદાસ મહારાજનું મોટું નિવેદન
New Aadhaar App Launch જૂની mAadhaar એપ આજથી બંધ સુરક્ષા માટે સરકારે લોન્ચ કરી નવી સત્તાવાર ‘Aadhaar’ એપ
Ayodhya Ram Mandir Donation અયોધ્યા રામ મંદિરમાં દાનમાં ગેરરીતિના આરોપો બાદ હવે સ્થિતિ સામાન્ય દાનના આંકડામાં ફરી ઉછાળો
Exit mobile version