Site icon News Continuous Bureau | Mumbai

Uddhav Thackeray: મરાઠી ભાષા વિવાદ વચ્ચે ગર્જ્યા ઉદ્ધવ ઠાકરે, દશેરા રેલીમાં મરાઠી ભાષા અને સંસ્કૃતિના સન્માન પર આપ્યું કઠોર નિવેદન

મુંબઈના શિવાજી પાર્ક ખાતે દશેરા રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ મરાઠી ભાષા અને સંસ્કૃતિના સન્માન પર આપ્યું કઠોર નિવેદન; મુંબઈને વેપારીઓની ખિસ્સા માંથી બચાવવા હર સંભવ પગલાં લેવાની કહી વાત

Uddhav Thackeray મરાઠી ભાષા વિવાદ વચ્ચે ગર્જ્યા ઉદ્ધવ ઠાકરે

Uddhav Thackeray મરાઠી ભાષા વિવાદ વચ્ચે ગર્જ્યા ઉદ્ધવ ઠાકરે

News Continuous Bureau | Mumbai 
Uddhav Thackeray મુંબઈના શિવાજી પાર્ક ખાતે દશેરા રેલી દરમિયાન શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપતાં કહ્યું છે કે તેઓ પોતાની માતૃભાષા મરાઠી અને મરાઠી લોકોના અધિકારો પર કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે. ઠાકરેએ સ્પષ્ટ કર્યું કે જ્યાં પણ તેમની માતૃભાષાનું અપમાન થયું છે, ત્યાં તેઓ મરાઠી લોકો વચ્ચે ફૂટ નહીં પડવા દે.

હિન્દી ની વિરુદ્ધ નથી, પરંતુ જબરદસ્તી નહીં ચાલે’

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમારો હિન્દી ની વિરુદ્ધ કોઈ વિરોધ નથી, પરંતુ હિન્દીની જબરદસ્તી અમે કદાપિ સ્વીકાર નહીં કરીએ. મરાઠી ના સન્માન અને અધિકારની રક્ષા કરવી અમારી જવાબદારી છે. તેમણે એ પણ જણાવ્યું કે મુંબઈની ઓળખ માત્ર વેપારીઓના ખિસ્સા માં સમાઈ જાય, તો તેઓ તેને બચાવવા માટે હર સંભવ પગલાં ઉઠાવશે.ઠાકરેએ કહ્યું, “મુંબઈ મરાઠી લોકોએ પોતાના લોહીથી જીતી છે. ભાષાના આધારે પ્રદેશ બનતા ગયા, ગુજરાત વાળાને ગુજરાત મળ્યું. એ જ રીતે મરાઠી ભાષીઓને મહારાષ્ટ્ર મળ્યું. જો આપણું મુંબઈ વેપારીઓ ના ખિસ્સા માં જતું રહે તો અમે તે ખિસ્સા ને ફાડીને જ મુંબઈ બચાવીશું.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pankaja Munde: મહારાષ્ટ્રમાં ફરી એકવાર ઉછળવા લાગ્યો આરક્ષણનો મુદ્દો પંકજા મુંડે

‘મરાઠી પર કોઈ હાથ ન નાખી શકે’

તેમણે વધુમાં કહ્યું, “જો તમારા લોકોમાં હિંમત છે તો મરાઠી પર હાથ નાખીને બતાવો. હાથ ત્યાં રાખવામાં નહીં આવે.” આ એક સ્પષ્ટ ઈશારો પણ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો.ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી પણ આપી કે જો તમારા લોકોમાં હિંમત છે તો મરાઠી પર હાથ નાખીને બતાવો, પરંતુ આવું કરવા પર તેને કોઈ જગ્યા નહીં મળે. હાથ જગ્યા પર રાખવામાં નહીં આવે. અમે મરાઠી પર કોઈ સમાધાન નહીં કરીએ. તેમનું આ કઠોર વલણ દર્શાવે છે કે તેઓ મરાઠી ભાષા અને સંસ્કૃતિના મામલામાં કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે.શિવસેના ઠાકરે જૂથની દશેરા રેલીમાં રાજ્યસભા સાંસદ સંજય રાઉત પણ હાજર હતા. તેમણે શિવસેના શિંદે જૂથ અને ભાજપ પર જોરદાર હુમલો કર્યો. તેમણે કહ્યું કે દિલ્હીમાં રાવણને બાળવાનો છે, મુંબઈના રાવણને ડૂબાડવાનો છે. તેમણે એ પણ કહ્યું કે હંમેશાં રાવણનું દહન થાય છે, પરંતુ આજે આપણે તેનો અંત કરવાનો છે.

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Heavy Devastation ચીનની મોટી ચેતવણીથી હડકંપ નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આગામી ૩ દિવસ અત્યંત જોખમી
Exit mobile version