Site icon

સ્વાસ્થ્ય જાણકારી- બાળકોના મગજ ને કમ્પ્યુટર જેવું તેજ બનાવવા માટે આજે જ તેમના આહારમાં સામેલ કરો આ ખોરાક-જાણો તે ખોરાક વિશે

News Continuous Bureau | Mumbai

વધતા બાળકોની પોષણની જરૂરિયાતો પણ અલગ અલગ હોય છે. તેમજ બાળકોને(children) સામાન્ય વૃદ્ધિ અને વિકાસ માટે યોગ્ય ખોરાકની જરૂર પડે  છે. ઘણા એવા ખોરાક છે જે મગજ માટે ખૂબ સારા માનવામાં આવે છે. આ ખાદ્ય પદાર્થોને બાળકોના આહારમાં સામેલ કરી શકાય છે, જે બાળકો માટે ખૂબ જ સારા સાબિત થશે. આ ખોરાક ખાવાથી બાળકોનું મગજ(brain) પણ તેજ થશે અને તેમના શરીરને પણ તેનાથી ઘણા ફાયદા થશે. જાણો ક્યા એવા ખોરાક છે જે મગજને કોમ્પ્યુટર જેટલું તેજ બનાવે છે.

Join Our WhatsApp Community

1. બદામ

સુપરફૂડ બદામને(almond) મગજનો ખોરાક પણ કહેવામાં આવે છે. ફેટી એસિડની સાથે તેમાં પ્રોટીન પણ વધુ માત્રામાં જોવા મળે છે. બાળકના મગજના કોષોને વધારવા અને સુધારવા માટે બદામ ખવડાવવી સારી છે.

2. અખરોટ

અખરોટ(walnut) એક એવું ડ્રાય ફ્રુટ છે જેનો આકાર મગજ જેવો છે અને તે ખરેખર મગજને તેજ કરવા માટે પણ સાબિત થયું છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને તેના કારણે તે મગજ બૂસ્ટર તરીકે કામ કરે છે. 

3. સફરજન 

સફરજન, (apple)જે રોગોને દૂર કરે છે, તે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ફળોમાંનું એક છે. તે બાળકને શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રાખે છે. માનસિક કૌશલ્ય વધારવા માટે ખાસ કરીને સફરજન ખાઈ શકાય છે.

4. ઇંડા

ઈંડા(eggs) ખાવાના સ્વાસ્થ્ય પર ઘણા ફાયદા છે. તે બાળકોના મનને તેજ કરવા માટે પણ ખવડાવી શકાય છે. પ્રોટીનની સાથે તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જ્યારે તે યાદશક્તિ વધારવામાં પણ મદદ કરી શકે છે. બાળકોને પણ બાફેલા ઈંડા કે આમલેટ ખૂબ પસંદ આવે  છે.

5. દહીં

આ યાદીમાં દહીં(curd) પણ સામેલ છે. દહીં કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેમાં સારી ચરબી તેમજ પ્રોબાયોટીક્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે સારું છે. દહીં બાળકને સવારે, બપોરે કે સાંજે પણ આપી શકાય.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- જો તમને દર વખતે મચ્છર કરડે છે તો આ હોઈ શકે છે કારણો-જાણો શા માટે મચ્છરો ને તમે પ્રિય છો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Dhurandhar Effect in Karachi: પાકિસ્તાની પોલીસની હવા થઈ પાતળી! ‘ધુરંધર 2’ ની અસરથી કરાચીમાં હંગામો; લયારીને છાવણીમાં ફેરવ્યું, એજન્ટોના નામે ડરનો માહોલ
Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version