Site icon

બાપ રે!! તિરૂપતી બાલાજી મંદિરના 21 પૂજારી સહિત 158 કર્મચારી કોરોના ગ્રસ્ત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 જુલાઈ 2020

 કોરોનાની મહામારી બાદ અનલોક દરમિયાન ગઈ 11 જૂન થી તિરુપતિ બાલાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે આ મંદિરના 21 પૂજારી સહિત સ્ટાફના માણસો મળીને કુલ 158 લોકો કોરોના ગ્રસ્ત જાહેર કરાયા છે. જેમાં પૂજારી ઉપરાંત સુરક્ષા કર્મચારીઓ પણ મોટા પ્રમાણમાં સંક્રમિત થયા છે. તેની માહિતી તીરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ એ આપી છે. નોંધનીય વાત છે કે તામિલનાડુમાં મંદિરો અને ધાર્મિક સ્થળો ખોલવાને કારણે વાયરસના પ્રસારમાં તેજી આવી છે. જેમાં તિરુમાલા મા કામ કરતા કર્મચારી ની સંખ્યા સૌથી વધુ છે. આમ છતાં "આવનારા ભક્તો માટે મંદિરના દરવાજા ખુલ્લા જ રહેશે" એમ બોર્ડના અધ્યક્ષએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે તિરૂપતિના મંદિરમાં સુરક્ષાના અને કોરોના ના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત તમામ લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા છે જ્યારે કુલ 158 માંથી મુખ્ય પૂજારી સહિત 70 લોકો હળવા લક્ષણો ની સારવાર બાદ સારા પણ થઇ ગયા છે…

ઉલ્લેખનીય છે કે તામિલનાડુમાં એક જ દિવસમાં કુલ 4538 નવા કેસ સામે આવ્યા છે અને આનો કુલ આંકડો 160,907 સુધી પહોંચી ગયો છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJt7xT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version