Site icon

લો બોલો! ભાજપના આ નેતાએ પોલીસ વિરુદ્ધ જ પોલીસમાં નોંધાવી ફરિયાદ. એટલું જ નહીં પણ પોલીસને 24 કલાકમાં માફી માગવા પણ કહ્યું; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ પોલીસ  વિરોધમાં મુલુંડના નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં પણ પોલીસને 24 કલાકમાં તેમની માફી માગવી જોઈએ એવી અજીબોગરીબ માગણી પણ તેમણે કરી છે.

કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડીના ગ્રામવિકાસ મંત્રી હસન મુશ્રીફના કૌભાંડના પુરાવા એકત્ર કરવા કોલ્હાપુર જવા માગતા હતા. તે અગાઉ પોલીસે તેમને મુલુંડના ઘરમાં જ નજરકેદ કરી દીધા હોવાનો તેમણે દાવો કર્યો હતો. કોલ્હાપુરમાં તેમના પ્રવેશ પર કલેકટરે પ્રતિબંધ મૂકી દીધો હતો. તેથી કિરીટ સોમૈયા કોલ્હાપુર જવા માટે ટ્રેન પકડવા  છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર ગયા હતા ત્યારે પોલીસ દ્વારા ગુંડાગીરી કરીને તેમને રોકી દેવામાં આવ્યા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. તેથી આ પ્રકરણમાં  તેમણે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણમાં તેમની માફી માગવી એવી માગણી પણ સોમૈયાએ કરી છે.

6 મહિનામાં, 6 રાજ્યોના મુખ્ય મંત્રીઓ બદલાયા, રાજનીતિમાં આવ્યો નવો વળાંક; જાણો વિગત

આ પૂરા પ્રકરણ બાદ હવે કિરીટ સોમૈયાએ 28 સપ્ટેમ્બરના તેઓ કોલ્હાપુર જશે  એવી જાહેરાત કરી છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version