Site icon

પોતાના ઘરમાં ગેરકાયદે ગોંધી રાખવામાં આવ્યો હોવાની ભાજપના આ નેતાની પોલીસમાં ફરિયાદ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને નેતા કિરીટ સોમૈયા આજે નવઘર મુલુંડ (પૂર્વ) પોલીસ સ્ટેશન તથા એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાના છે. તેમના નિવાસસ્થાન પર  તથા  છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર તેમને ગેરકાયદ રોકી દેવામાં આવ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે.

AC ને પણ ફેલ કરી નાખે, એવાં સફેદ પેઇન્ટની શોધ કરવામાં આવી; જાણો વિગત

કિરીટ સૌમૈયા મહાવિકાસ આઘાડીના મંત્રીઓના એક પછી એક કૌભાંડો બહાર કાઢી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબ બાદ હાલમાં તેઓએ ગ્રામીણ વિકાસ પ્રધાન હસન મુશ્રીફ તરફ પોતાની તોપ દાગી છે. હસન મુશ્રીફનું સાકર કારખાનામાં રહેલા કૌભાંડને લગતા દસ્તાવેજો બહાર પાડવા તેઓ રવિવારે કોલ્હાપુર જવાના હતા. તે અગાઉ જ તેમને મુલુંડના તેમના નિવાસસ્થાન પર શનિવારે પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો. જોકે પોલીસે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કિરીટ સોમૈયાના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત રાખ્યો હોવાનો દાવો કર્યો હતો. તો કિરીટ સોમૈયા ટ્રેનથી કોલ્હાપુર જવાના હતા, પરંતુ તેમને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર પોલીસે રોકી દીધા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version