Site icon

સ્વાસ્થ્ય જાણકારી: સવાર ના નાસ્તા માં કરો કેળાનો સમાવેશ, ઘણી બીમારીઓ થશે દૂર, મળશે આ ફાયદા

News Continuous Bureau | Mumbai

કેળા(banana benefits) એક સ્વાદિષ્ટ ફળ છે. કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેળામાં પોટેશિયમ (potassium) વધુ હોય છે અને સોડિયમ ઓછું હોય છે, જે બ્લડ પ્રેશર (blood pressure)જાળવવા, તણાવ ઘટાડવા અને અલ્સરની સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ મદદરૂપ છે. પોટેશિયમ ઉપરાંત, કેળામાં ફાઈબર,(fiber) કેલ્શિયમ (calcium) જેવા ઘણા મહત્વપૂર્ણ તત્વો મળી આવે છે, જે શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. કેળાના સેવનથી શરીરમાં આયર્નની ઉણપને (iron deficiency)દૂર કરી શકાય છે. આટલું જ નહીં કેળાના સેવનથી વજન પણ (weight loss)નિયંત્રિત કરી શકાય છે. જો તમે સવારે વ્યાયામ કરતા પહેલા કેળું ખાશો તો તમને આ ફાયદાઓ મળી શકે છે.

Join Our WhatsApp Community

1. બ્લડ પ્રેશર-

જો તમે બ્લડ પ્રેશરના (blood pressure)દર્દી છો તો કેળાનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. હાઈ બીપીના દર્દીઓ માટે સવારના નાસ્તામાં કેળા (banana benefits) ખાવાથી વિશેષ ફાયદો થાય છે.

2. ડાયાબિટીસ-

કેળા (banana)એ ફાઇબર, સ્ટાર્ચ, વિટામિન્સ, મિનરલ્સ, ફાયટોકેમિકલ્સ અને એન્ટીઓકિસડન્ટ સહિત કેટલાક જૈવ સક્રિય સંયોજનોનું અનોખું મિશ્રણ છે, જે ટાઇપ 2 ડાયાબિટીસ (type 2 diabetes) સામે લડવા માટે કામ કરી શકે છે.

3. ઉર્જા-

નાસ્તામાં કેળા ખાવાથી ઘણી એનર્જી (energy)મળે છે. કારણ કે કેળામાં કાર્બોહાઈડ્રેટ (carbohydrate)હોય છે, જે પેટને ઝડપથી ભરવામાં મદદ કરે છે અને તમને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

4.પાચન-

કેળામાં રહેલ સ્ટાર્ચ (starch)આપણા પાચન તંત્ર માટે મહત્વપૂર્ણ એવા સારા બેક્ટેરિયા(bacteria) માટે ફાયદાકારક છે. નાસ્તામાં કેળાનું સેવન કરવાથી પાચનક્રિયા સારી રહી શકે છે.

5. સ્થૂળતા-

જો તમે વજન ઓછું (weight loss)કરવા માંગો છો તો નાસ્તામાં કેળાનો સમાવેશ કરો. કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર (fiber)હોય છે. સાથે જ તેમાં સ્ટાર્ચ પણ જોવા મળે છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: ઉનાળામાં વધુ પડતો પરસેવો થવાની સમસ્યા થી પરેશાન હોવ તો અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય

 

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version