Site icon

સ્વાસ્થ્ય જાણકારી: જૈતૂન તેલ થી ઓળખાતા ઓલિવ ઓઈલ થી બનેલો ખોરાક ખાઓ, મળશે જબરદસ્ત ફાયદાઓ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

 
મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

        
સોમવાર 

દરરોજ આપણે રસોઈ માટે વિવિધ પ્રકારના રસોઈ તેલનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપણે આપણા તેલમાં ફેરફાર કરવાની જરૂર છે. તમે રસોઈ તેલમાં સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો પસંદ કરીને ઘણા સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો. જો તમે પણ હેલ્ધી કુકિંગ ઓઈલ શોધી રહ્યા છો તો ડાયટમાં ઓલિવ ઓઈલ સામેલ કરી શકો છો.ઓલિવ ઓઈલ ને જૈતૂન ના તેલ  તરીકે પણ ઓળખાય છે. માત્ર ઓલિવ ઓઈલ ખાવાથી જ નહીં, પરંતુ તે સુંદરતા વધારવાનું પણ કામ કરે છે. વાસ્તવમાં, ઓલિવ ઓઈલમાં વિટામિન-ઈ, વિટામિન કે, આયર્ન, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને એન્ટીઑકિસડન્ટના ગુણો જોવા મળે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે. ઓલિવ ઓઇલ  હૃદય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

કોલેસ્ટ્રોલમાં મદદરૂપ

ઓલિવ ઓઈલ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. ઓલિવ ઓઈલમાંથી બનેલા ખોરાકનું સેવન કરીને કોલેસ્ટ્રોલને સંતુલિત રાખી શકાય છે.

ઓસ્ટીયોપોરોસીસમાં મદદરૂપ

હાડકાના દુખાવાથી રાહત મેળવવા માટે તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઈલમાં કેલ્શિયમ ઉપરાંત એવા ગુણો છે જે ઓસ્ટીયોપોરોસીસ જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસમાં મદદરૂપ

ડાયાબિટીસના દર્દીઓ માટે ઓલિવ ઓઈલ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઈલથી બનેલા ખોરાકનું સેવન કરવાથી શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

બ્યૂટી ટિપ્સ: માત્ર ત્વચા માટે જ નહીં પણ વાળ માટે પણ ખુબજ ફાયદાકારક છે ગુલાબજળ; જાણો તેના લાભ વિશે

રોગપ્રતિકારક શક્તિમાં મદદરૂપ

ઓલિવ ઓઇલ  રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા મોસમી ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિને લીધે, આપણે ઘણી વાર બીમાર પડતા નથી. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, તમે ઓલિવ ઓઇલ માંથી બનેલા ખોરાકનું સેવન કરી શકો છો.

સ્થૂળતામાં મદદરૂપ

જો તમે સ્થૂળતા ઘટાડવા માંગતા હોવ તો ઓલિવ ઓઈલથી બનેલો ખોરાક ખાઓ. ઓલિવ ઓઈલમાં ફેટની માત્રા ઘણી ઓછી હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version