Site icon

સ્વાસ્થ્ય જાણકારી- યુરિક એસિડ ને ઘટાડવા માં રામબાણ છે હળદર-જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

 News Continuous Bureau | Mumbai

શરીરમાં યુરિક એસિડનું (Uric acid)પ્રમાણ વધવું એટલે ખતરાની ઘંટડી વાગી. શરીરમાં વધતા યુરિક એસિડને રોકવું ખૂબ જ જરૂરી છે. તેના કારણે સૌથી મોટી સમસ્યા સાંધાનો(joint pain) દુખાવો છે. આજકાલ આ બીમારી દિવસેને દિવસે સામાન્ય બની રહી છે. સામાન્ય હોય કે ખાસ દરેક આ સમસ્યાથી પરેશાન છે. યુરિક એસિડ વધવાના કારણે તમારા શરીર માં બીજી ઘણી બીમારીઓ ઘર કરી જાય છે.

Join Our WhatsApp Community

હાડકા અને સાંધાને લગતી સમસ્યાઓ, આર્થરાઈટિસ(arthritis) અને ઓસ્ટિયોપોરોસિસ, આ બધી બીમારીઓ યુરિક એસિડ વધવાથી શરીરમાં ઘર કરી જાય છે. આ સિવાય યુરિક એસિડ વધવાથી કિડની (kidney)અને સ્થૂળતા સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.પરંતુ શું તમે જાણો છો કે હળદરનો ઉપયોગ(turmeric benefits) શરીરમાં વધેલા યુરિક એસિડને ઘટાડવા માટે રામબાણ તરીકે કરવામાં આવે છે. આયુર્વેદિક ઔષધિઓમાં હળદરનો સમાવેશ થાય છે. તે ઘણા રોગોમાં પણ ખૂબ જ મદદગાર સાબિત થયું છે. આજે અમે તમને જણાવીશું કે હળદરથી યુરિક એસિડ કેવી રીતે ઓછું કરી શકાય.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- આ બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારક છે અળવી- જાણો તેના જબરદસ્ત ફાયદા વિશે

હળદર એક એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી જાય છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે જે સોજા  સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય હળદરમાં બળતરા વિરોધી અને એન્ટિબાયોટિક (antibiotic)ગુણ હોય છે. હળદરનું સેવન યુરિક એસિડને(uric acid) ઓછું કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હળદરવાળું દૂધ (turmeric milk)યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ઘણી મદદ કરે છે. કારણ કે આનાથી તમારા શરીરના બ્લડપ્રેશરની ગતિ નિયંત્રિત રહે છે અને સમગ્ર પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. હળદર ઉપરાંત મુલેઠી, ત્રિફળા, ગીલોય અને અશ્વગંધાનું સેવન કરવાથી પણ આ રોગમાં રાહત મળે છે. આ બધી વસ્તુઓ યુરિક એસિડને ઘટાડવામાં ઘણી મદદગાર સાબિત થાય છે.

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version