Site icon

સ્વાસ્થ્ય જાણકારી: જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો સૂર્યાસ્ત પછી આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો

News Continuous Bureau | Mumbai

વજન ઘટાડવું (weight loss)એ એટલું મુશ્કેલ કામ નથી જેટલું લોકો વિચારે છે. જો તમે કસરત(exercise) કરવામાં આળસ અનુભવો છો, તો કેટલીક બાબતોમાં તમારી જાતને નિયંત્રિત કરીને પણ તમે આ પહાડ જેવું કામ જલ્દીથી પૂરું કરી શકો છો.વધુ પડતું અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવો એ શરૂઆતથી જ રોગોનું કારણ રહ્યું છે, તેથી જો તમે તેને નિયંત્રિત કર્યું છે, તો સમજી લો કે વજન ઘટાડવાની અડધી યાત્રા આ રીતે પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે કેટલીક વસ્તુઓને સંપૂર્ણપણે ટાળવી જોઈએ. તો ચાલો જાણીએ તે કઈ વસ્તુ ઓ છે.

Join Our WhatsApp Community

1. કોફી(Coffee) અને કેફીન આધારિત પીણાં

કોફી કે ચાનો કપ અંદર જતાં જ મૂડ ફ્રેશ થઈ જાય છે, પરંતુ જો તમે ખૂબ ચા-કોફી પીતા(tea coffee) હોવ તો તે સ્વાસ્થ્ય માટે કોઈ પણ રીતે ફાયદાકારક નથી કારણ કે તેમાં કેફીનની સાથે સાથે ખાંડનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય છે. તેને રાત્રે પીવાની ભૂલ ન કરો કારણ કે તેનાથી ઊંઘ ઉડી જાય છે અને વજન ઘટાડવાની પ્રક્રિયામાં પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે.

2. સૂર્યાસ્ત પછી ફળોનું સેવન (fruits)

એમાં કોઈ શંકા નથી કે ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ આયુર્વેદ અનુસાર, સૂર્યાસ્ત પછી તેનું સેવન કરવાથી પાચનતંત્રમાં ખલેલ પહોંચે છે અને સાથે જ બ્લડ સુગર પણ વધી જાય છે. તેથી, જો તમે તેનું સેવન સાંજે 6 વાગ્યા પહેલા કરવા માંગતા હો, તો તે કરો અને તેના પછી નહીં.

3. રાત ના સમયે નાસ્તો ખાવો 

સમયસર ભોજન લો પરંતુ જો તમે સમયસર ઊંઘતા નથી તો તે એક ખરાબ આદત છે કારણ કે મોડી રાત સુધી જાગતા રહેવાથી ભૂખ લાગે છે જેના કારણે આપણે કંઈ પણ ખાઈએ છીએ અને આ વધારાની કેલરી (kelory)ચરબીના રૂપમાં આપણા શરીરમાં જમા થઈ જાય છે. જે સ્થૂળતા અને વજનમાં વધારો તરફ દોરી જાય છે. તો આ વસ્તુથી પણ બચો.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: થાઇરોઇડ વધે ત્યારે મહિલાઓ માં દેખાવા લાગે છે આ લક્ષણો; જાણો તે સિમ્પ્ટમ્સ વિશે

Sangru Ram: ૭૫ વર્ષના વરરાજા, ૩૫ની દુલ્હન અને કોર્ટ મેરેજ… સુહાગરાતમાં જ બની એવી ઘટના કે ગામ માં મચ્યો હાહાકાર
IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Exit mobile version