Site icon News Continuous Bureau | Mumbai

સ્વાસ્થ્ય જાણકારી: ઔષધીય ગુણો થી ભરપૂર છે બોર ના પાંદડા; જાણો તેને ઉપયોગ કરવાની રીત વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

શુક્રવાર 

શિયાળાની ઋતુમાં અનેક રોગો આપણને ઘેરી લે છે. એટલા માટે આપણે ઠંડીની ઋતુમાં એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે આપણને આ બીમારીઓથી બચવામાં મદદ કરશે. આમાંથી એક બોર  છે. બોર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એ તો બધા જાણે છે, પરંતુ શું તમે બોરના પાંદડાના ફાયદા જાણો છો.બોર ના પાનમાં ઔષધીય ગુણ હોય છે, જેના કારણે શરીરની અનેક સમસ્યાઓ અને રોગો દૂર થાય છે. બોર ના પાનનો રસ પણ વજન ઘટાડે છે. ગળામાં ખરાશ, પેશાબ કરતી વખતે બળતરા, શરીર દાઝવું વગેરે સમસ્યાઓથી રાહત અપાવવામાં બોર ના પાનનો રસ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ બોર ના પાંદડાના ફાયદા-

1. વજન ઘટાડવામાં મદદરૂપ-

બોર ના પાંદડા ઝડપથી વજન ઘટાડે છે. વજન ઘટાડવા માટે, તમારે બોરના પાંદડામાંથી પાણી પીવું જોઈએ. બોરના પાનને આખી રાત પાણીમાં પલાળી રાખો, જો તમે આ પાણી સવારે ખાલી પેટ પીશો તો તમને ફાયદો થશે. તમારે એક મહિના સુધી આ પાણીનું સેવન કરવું જોઈએ, બે અઠવાડિયામાં તમને ફરક દેખાવા લાગશે.

2. દુખાવાની સમસ્યા દૂર કરે છે-

બોર ના પાનનો રસ પીવાથી દુખાવો મટે છે. બોરના પાનનો રસ કાઢીને હુંફાળા પાણીમાં ભેળવીને તેમાં કાળા મરી નાખીને સવાર-સાંજ સેવન કરવાથી ગળામાં આરામ મળે છે.

3. પેશાબમાં બળતરા થતી હોય તો બોર ના પાનનો ઉપયોગ કરો.

જો તમને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય, તો તમારે બોર ના પાનનો ઉપયોગ કરવો જોઈએ, તે પેશાબ કરતી વખતે બળતરાથી રાહત આપે છે. બોર ના પાનનો રસ કાઢ્યા બાદ તેમાં શેકેલું જીરું મિક્સ કરો અને તે પાણીને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવો. તેનાથી તમને રાહત મળશે.

4. ઘા અથવા ઇજાઓ મટાડે છે-

જો તમને કોઈ ઘા કે ઈજા થઈ હોય તો બોર ના પાનને પીસીને તેની પેસ્ટ જ્યાં વાગ્યું  હોય ત્યાં લગાવો. બળતરાની સમસ્યા પણ દૂર થાય છે.

5. બોર ના પાન આંખમાં ખીલ મટાડે છે-

જ્યારે આંખમાં પિમ્પલ હોય ત્યારે આંખમાં તીવ્ર બળતરા, દુખાવો અથવા સોજાની ફરિયાદ રહે છે. આ માટે તમે આંખના બહારના ભાગ પર બોર ના પાનનો રસ લગાવો, તેનાથી દુખાવો ઓછો થાય છે. ડોકટરો બોર ના પાંદડાનો રસ સીધો આંખની અંદર નાખવાની ભલામણ કરતા નથી, તેથી તમારે કોટન બોલની મદદથી રસ લગાવવો જોઈએ. થોડા સમય પછી તમને તેમાં રાહત જોવા મળશે.

સ્વાસ્થ્ય જાણકારી:શિયાળામાં વજન ઘટાડવા થી લઈ ને હૃદયની બીમારી સુધી, લીલા ચણા ના છે જબરદસ્ત ફાયદા ; જાણો વિગત

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version