Site icon

1200 બાળકોની માતા અને સામાજિક કાર્યકર પદ્મશ્રી સિંધુતાઈ સપકાલનું નિધન, આ કારણે લાંબા સમયથી હતા હોસ્પિટલમાં ભરતી

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

બુધવાર. 

દેશના પ્રખ્યાત સામાજિક કાર્યકર અને અનાથોની સેવા કરનાર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિંધુતાઈ સપકલનું  પુણેમાં નિધન થયું છે.

પ્રાપ્ત જાણકારી મુજબ રાત્રે 8.10 કલાકે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું. 

એક મહિના પહેલા સિંધુતાઈ સપકલનું હર્નિયાનું ઓપરેશન થયું હતું.

પુણેની ગેલેક્સી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

સિંધુતાઈ સપકલને ‘માઈ’ કહેતા. તેઓ પુણેમાં સનમતિ બાલ નિકેતન સંસ્થા નામનું અનાથાશ્રમ ચલાવે છે. તેમણે તેમના જીવનમાં 1,200 થી વધુ અનાથ બાળકોને દત્તક લીધા હતા.

સિંધુ તાઈને તેમના ઉમદા કાર્ય માટે અત્યાર સુધીમાં 700 થી વધુ સન્માન મળ્યા છે. સિંધુ તાઈએ તેમને અત્યાર સુધી મળેલા સન્માનમાંથી મળેલી રકમ તેમના બાળકોના ઉછેરમાં ખર્ચી નાખી. 

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version