Site icon

લાંબા અંતરના પ્રવાસીઓને થશે રાહત- શૌચાલયોને લઈને રેલવે પ્રશાસને લીધો આ નિર્ણય-જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

ભારતીય રેલવે(Indian Railways) દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે.રેલવે નેટવર્ક(Railway network) સમગ્ર ભારતમાં ફેલાયેલું છે. પરંતુ ઘણીવાર મુસાફરોને ટ્રેનની મુસાફરી(Train traveling) દરમિયાન દુર્ગંધવાળા શૌચાલયનો(Stinky toilets) ઉપયોગ કરવો પડે છે. સોશિયલ મીડિયા(Social media) પર રેલવેને ટેગ કરીને પણ ફરિયાદો કરવામાં આવે છે. ભારતીય રેલ્વેએ હવે આને દૂર કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. રેલવેએ દેશભરની ટ્રેનોનું વ્યક્તિગત નિરીક્ષણ કરવા માટે વરિષ્ઠ અધિકારીઓને(Senior officers) તૈનાત કર્યા છે.

Join Our WhatsApp Community

રેલવે બોર્ડના(Railway Board) અધિકારીઓ મુસાફરોની સમસ્યાઓ જાણવા માટે 24 કલાક ટ્રેનના એસી કોચમાં(AC coach) તૈનાત રહે તેવી શક્યતા છે. રેલવેએ ડિવિઝનલ રેલવે મેનેજર(Divisional Railway Manager), એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર, પ્રિન્સિપાલ ચીફ ટેકનિકલ એન્જિનિયર જેવા વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરી છે. તેમણે છેલ્લા કેટલાક દિવસોમાં 544 શૌચાલયોનું નિરીક્ષણ કર્યું છે. નજીકના ભવિષ્યમાં વધુને વધુ ટ્રેનની તપાસ કરવામાં આવવાની છે.

આ સમાચાર પણ વાંચો : શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો આ એક છોડ-જીવનભર રહેશો ધનવાન

શૌચાલયોમાં પાણીનો અભાવ(Lack of water), અસ્વચ્છ સ્થિતિ(Unclean condition), લીકેજ(Leakage), રેલ્વે મુસાફરોને(Railway passengers) હેરાનગતીનો સામનો કરવો પડે છે. તેથી રેલવેએ શૌચાલયોનું નિરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે તેથી મુસાફરોને રાહત થશે એવો રેલવે પ્રશાસને(railway administration) કર્યો છે.
 

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version