Site icon News Continuous Bureau | Mumbai

સ્વાસ્થ્ય જાણકારી-તમારા દિવસની શરૂઆત ચા થી નહીં પરંતુ આ ઉકાળાથી કરો-રોગો રહેશે દૂર

News Continuous Bureau | Mumbai

ભારતમાં(India)મોટાભાગના ઘરોમાં સવારની શરૂઆત ગરમ ચાના કપથી (tea cup)થાય છે. એમાં કોઈ શંકા નથી કે આનું સેવન કરતાની સાથે જ શરીર અને મન ફ્રેશ(mood fresh) થઈ જાય છે, ઊંઘ દૂર થઈ જાય છે અને એક અલગ પ્રકારની એનર્જીનો અનુભવ થાય છે, પરંતુ બીજી તરફ ખાલી પેટ ચાના સેવનથી ઘણા લોકો ગેસ અને એસિડિટી (acidity)ફરિયાદ કરે છે.. તેથી જો તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માંગતા હોવ તો સવારે ખાલી પેટ ચા છોડી દો અને ઉકાળો પીવાનું શરૂ કરો. તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહેશો.

Join Our WhatsApp Channel

1. વરિયાળી અને તજનો ઉકાળો

આ ઉકાળાના સેવનથી પાચન તંત્રને લગતી સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલને (cholestrol)પણ ઘટાડે છે.તજનું કાર્ય શરીરને ડિટોક્સ (detox)કરવાનું, વધતા વજનને નિયંત્રિત કરવાનું અને રોગપ્રતિકારક શક્તિ (immunity)વધારવાનું છે.ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે તજનું વધુ પડતું સેવન નુકસાનકારક પણ હોઈ શકે છે. માત્ર અડધી ચમચી જ સ્વાસ્થ્ય જાળવવા માટે પૂરતી છે.

2. આદુ, હળદર અને કાળા મરીનો ઉકાળો

હળદરમાં કર્ક્યુમિન તત્વ જોવા મળે છે, જે અનેક ઔષધીય ગુણોની ખાણ છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ (immunity)વધે છે.આદુમાં (ginger)રહેલું તત્વ શરીરની ગંદકી દૂર કરવાનું કામ કરે છે, બ્લડપ્રેશર (blood pressure)કંટ્રોલમાં રાખે છે અને ફેફસાં માટે પણ હેલ્ધી છે.બીજી તરફ, કાળા મરીમાં હાજર પોષણ શરીર માટે ફાયદાકારક છે, સાથે જ આ મસાલો વજનને પણ નિયંત્રિત કરે છે.

3. લવિંગ અને ફુદીનાનો ઉકાળો

લવિંગ માત્ર ભોજનનો સ્વાદ જ વધારતો નથી, પરંતુ આ મસાલો અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ અસરકારક ઉપાય છે. લવિંગમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ (antioxidant)હોય છે, તેના સેવનથી શ્વાસ સંબંધી સમસ્યાઓ દૂર રહે છે. આના દ્વારા ડાયાબિટીસનું(diabetes) જોખમ પણ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.ફુદીનો શરીર અને મનને તાજગી આપે છે. આ સિવાય ફુદીનો પાચનક્રિયાને પણ યોગ્ય રાખે છે. અને જો તમે શ્વાસની દુર્ગંધથી પરેશાન છો તો તેને ફુદીનાથી પણ દૂર કરી શકાય છે.

4. તુલસી, એલચીનો ઉકાળો

તમે બધા તુલસીના ગુણોથી વાકેફ હશો. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે લાંબા સમયથી કરવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ (immunity)વધારવાની સાથે તે હૃદય અને ફેફસાને પણ સ્વસ્થ રાખે છે.એલચીમાં (cardimom)રહેલા તત્વો બ્લડપ્રેશરનું (blood pressure)સ્તર જાળવી રાખે છે અને શરીરમાં બળતરાની સમસ્યાને દૂર કરે છે.

આ સમાચાર પણ વાંચો :India Biggest Data Breach: ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક, 81.5 કરોડ લોકોનો આધાર ડેટા થયો લીક.. જાણો સંપુર્ણ મામલો વિગતે અહીં…

 

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version