Site icon

તામિલનાડુના એક પ્રાણીસંગ્રહાલયમાં સિંહણનું કોરોનાથી મૃત્યુ; નવ સિંહ કોરોનાની ચપેટમાં, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર,

કોરોના મનુષ્યની સાથે જંગલી પ્રાણીઓને પણ હવે પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. તામિલનાડુના એક  પ્રાણીસંગ્રહાલયમાં એક સિંહણનું કોરોનાથી મૃત્યુ થયું છે. એટલું જ નહીં, આ પ્રાણીસંગ્રહાલયમાં બીજા નવ સિંહને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તામિલનાડુના એરીગર અન્ના ઝૂમાં નીલા નામની સિંહણનું મૃત્યુ કોરોનાથી થયું છે.

આ સિંહણમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં નહોતાં. નીલાના અવસાન પછી ઝૂમાંથી 11 સિંહોનું પરીક્ષણ કરાયું હતું અને એમાંથી નવનો કોરોના રિપૉર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાને નિયંત્રણમાં લાવવા તમામ પ્રાણીસંગ્રહાલય બંધ કરી દેવામાં આવ્યાં છે. આ પ્રાણીસંગ્રહાલય શહેરથી 35 કિમી દૂર છે. તમામ સિંહોની સારવાર ચાલી રહી છે અને તમામ પ્રાણીઓ દેખરેખ હેઠળ છે. આ અગાઉ હૈદરાબાદના નેહરુ ઝૂ ખાતે આઠ સિંહોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

નાગિન સિરિયલના પ્રખ્યાત અભિનેતા પર્લ પુરીની ધરપકડ; લાગ્યો યુવતી પર બળાત્કારનો આરોપ

ઉલ્લેખનીય છે કે ગૌરી અને જેનિફર, બે સિંહ થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશના સફારી પાર્કમાં કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. ગયા વર્ષે અમેરિકાના એક પ્રાણીસંગ્રહાલયમાં ચાર વાઘ અને ત્રણ સિંહને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.

Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
India-US Agreement: ભારત-અમેરિકા વચ્ચે ૧૦ વર્ષના સંરક્ષણ સહયોગના માળખા પર ઐતિહાસિક સમજૂતી, દ્વિપક્ષીય સંબંધો મજબૂત.
Rohit Pawar FIR: ડોનાલ્ડ ટ્રમ્પના નામે નકલી આધાર કાર્ડનો ડેમો આપવા બદલ NCP(SP)ના રોહિત પવાર સામે FIR
Exit mobile version