Site icon News Continuous Bureau | Mumbai

હજારો રૂપિયાના ઇન્જેક્શન કરતા આ આયુર્વેદી ઔષધી કોરોનાને વધતો અટકાવે છે; રિસર્ચમાં કરાયો આ ચોકાવનારો દાવો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૪ જૂન ૨૦૨૧
શુક્રવાર

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસીવીર, ટોસીલીઝુમેબ અને મોનોક્લોનલ એન્ટિબોડી જેવા અનેક કોકટેલ ઇન્જેક્શન આપવામાં આવે છે, જેની કિંમત હજારો રૂપિયા છે, પરંતુ આ દવાઓ સામે અશ્વગંધા પણ કોરોના વાયરસને વધતો રોકી શકે છે.

Join Our WhatsApp Channel

કોરોના વાયરસની વૃદ્ધિ માટે ૨ પ્રોટીન જવાબદાર છે. પ્રથમ કાંટા જેવું દેખાતું એસ પ્રોટીન જે શરીરના કોષને સંક્રમિત કરે છે અને બીજું એમ પ્રોટીન એકમાંથી હજારો કોષોમાં રૂપાંતરિત કરે છે. હવે IIT- દિલ્હી અને જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (એઆઇએસટી) દ્વારા થયેલી એક રિસર્ચમાં દાવો કરાયો છે કે બજારમાં માત્ર ૬૦ રૂપિયામાં મળતું અશ્વગંધા એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને કોરોના વાયરસની વૃદ્ધિ અટકાવે છે.

કેમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવા હજી વર્ષોની રાહ જોવી પડશે? જાણો વધુ વિગત

ઉલ્લેખનીય છે કે અશ્વગંધામાં કુદરતી રીતે જ વિથેનોન નામનું તત્ત્વ વાયરસના એમ-પ્રોટીનને નિષ્ક્રિય કરી નાખે છે અને તેથી વાયરસની વૃદ્ધીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આઇઆઇટી- દિલ્હી અને જાપાનની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (AIST)એ આ બાબત સિદ્ધ કરી હોવાનો એક ડોક્ટરનો દાવો છે.

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version