Site icon News Continuous Bureau | Mumbai

કેદારનાથ ધામમાં 2013ની દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઈ; સૌએ પાળ્યું બે મિનિટ મૌન, જાણો વિગત

The door of Kedarnath Dham will be opened from this date

શિવભક્તો માટે સારા સમાચાર, આ તારીખથી ખુલશે કેદારનાથ ધામના કપાટ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

વર્ષ 2013માં ૧૭ જૂનના રોજ કેદારનાથ ધામમાં મૃત્યુ પામેલા યાત્રિકોની યાદમાં દેવસ્થાનમ બોર્ડ અને તીર્થ પુરોહિતો, પોલીસ વહીવટ દ્વારા શ્રી કેદારનાથ મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપસ્થિતો દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. નોંધનીય છે કે 16 અને 17 જૂન, 2013ના રોજ કેદારનાથ ધામમાં પૂર અને ભારે વરસાદને કારણે હજારો યાત્રાળુઓ, સ્થાનિક લોકો અને પશુઓ મૃત્ય પામ્યા હતા.

દેવસ્થાનમ બોર્ડના મીડિયા પ્રભારી ડો.હરીશ ગૌરે મીડિયાને જણાવ્યું હતું કે “કેદારનાથ ધામમાં વિદાય થયેલ લોકોની આત્માઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી, બે મિનિટનું મૌન પાલવમાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભગવાન કેદારનાથને પ્રાર્થના કરવામાં આવી હતી કે આવી દુર્ઘટના ફરી ન થાય. દરેક લોકો ખુશ રહે.”

વધુ ઘાતક બન્યો કોરોના; ચેન્નઈ પ્રાણી સંગ્રહાલયમાં બીજો સિંહ મૃત્યુ પામ્યો, ત્રણની હાલત ગંભીર

ઉલ્લેખનીય છે કે શ્રધ્ધાંજલિ સભામાં કેદારનાથ ધામના મુખ્ય પુજારી બાગેશ લિંગ, કેદાર સભાના પ્રમુખ વિનોદ શુક્લા, કિશન બગવાડી, રાજકુમાર તિવારી, અંકુર શુક્લા, મંદિરના વહીવટી અધિકારી યદુવીર પુષ્પવાન, પોલીસ ચોકી કેદારનાથ પ્રભારી મંજુલ રાવત અને તેમની ટીમ સાથે અવનિશ કુમાર, દિલવાર નેગી, જોડાયા હતા.

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version