Site icon

ચોંકાવનારા સમાચાર: સયાજીનગરી ટ્રેનમાં બાળકીને વીંછીએ ડંખ માર્યો.. મેડિકલ ટ્રીટમેન્ટ પણ સમયસર ન મળી.. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

07 ઓક્ટોબર 2020

રેલવે પ્રશાસનની બેદરકારી છાશવારે સામે આવતી જ રહે છે. ગત શનિવારે રાતે ભુજથી ઉપડેલી સયાજીનગરી એક્સપ્રેસના એક કોચમાં વીંછી નીકળ્યો હતો અને નાની બાળકીને ડંખ મારી જતાં હોહા મચી ગઈ હતી. બાળકી દ્વારા ફરિયાદ કરવા બાદ બીજા સ્ટેશન ગાંધીધામમાં ડૉક્ટર બોલાવવામાં આવ્યાં હતાં. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ટ્રેન ઘણા વખતથી યાર્ડમાં પડી રહી હોવાથી વીંછી ડબામાં આવી ગયો હશે. બાળકી ટ્રેન ઉપડવા પહેલાં પોતાની સીટ પર બેઠી હતી ત્યારે વીંછીએ ડંખ માર્યાનો બનાવ બન્યો હતો.

 ભુજ સ્ટેશન માસ્તરને જાણ કરતાં ડબામાં દવાનો છંટકાવ કરતાં વીંછી દેખાયો હતો પણ ડબામાંથી બહાર કાઢી શકાયો ન હતો. જોકે ભુજ સ્ટેશને ડોક્ટરની સુવિધા મળી ન હતી. ગાંધીધામ સ્ટેશને એક લેડી ડોક્ટરે તપાસીને કહ્યું હતું કે, 24 કલાક ધ્યાન રાખવાની જરૂર છે. ડબામાંથી વીંછી બહાર ગયો ન હતો તેથી ડબો બદલી આપવાની માગણી કરાઈ તો જવાબ મળ્યો કે અમદાવાદમાં એડજેસ્ટમેન્ટ કરી અપાશે. ત્યારબાદ વડોદરા સ્ટેશને ડોક્ટરની ટીમ હાજર મળી હતી. પેશન્ટને તપાસીને ચિંતાજનક ન હોવાનું આશ્વાસન આપ્યું હતું. વીંછી એ ડંખ માર્યો એ બતાવે છે કે રેલ્વે યાર્ડમાં થી ટ્રેન પ્લેટફોર્મ પર લાવવામાં આવે છે ત્યારે કેટલી મોટી બેદરકારી રહી જાય છે, કે એક બાળકીનો જીવ જતા જતા બચી જાય છે.  પ્રવાસીએ માંગ કરી હતી કે ટ્રેન ઉપડે એ પહેલાં બધા ડબાની તપાસ બરાબર થવી જ જોઈએ …

The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Fuel Crisis India:હવે પેટ્રોલ પંપે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી! ₹0 ના ખર્ચે સ્કૂટર આપશે 100Kmની માઈલેજ, જાણો આ અનોખો ભારતીય જુગાડ.
Dhurandhar Effect in Karachi: પાકિસ્તાની પોલીસની હવા થઈ પાતળી! ‘ધુરંધર 2’ ની અસરથી કરાચીમાં હંગામો; લયારીને છાવણીમાં ફેરવ્યું, એજન્ટોના નામે ડરનો માહોલ
Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Exit mobile version