Site icon

વરિષ્ઠ અભિનેતા સતીશ શાહ પણ થયા હતા કોરોનાથી સંક્રમિત, સ્વસ્થ થઇ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 ઓગસ્ટ 2020

જાણીતા ફિલ્મ અને ટીવી એક્ટર સતીશ શાહ પણ કોવિડ -19 નો શિકાર બન્યા છે. કોરોનાથી પીડિત સતીશ  શાહને 20 જૂને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 28 જૂને સ્વસ્થ થઈ ગયા હતા અને ઘરે પાછા ફર્યા હતા. પરંતુ તેમણે કોવિડ -19 નો ભોગ બનવાની અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શનિવારે તેનાથી સ્વસ્થ થવાની માહિતી આપી હતી.

અભિનેતા સતીશ શાહે જણાવ્યું કહ્યું હતું કે, "મને થોડા દિવસોથી તાવ આવ્યો હતો. મારું તાપમાન 99 થી 100 ની વચ્ચે આવી રહ્યું હતું અને આવી સ્થિતિમાં, હું પેરાસીટામોલથી સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ મને કોરોના પરીક્ષણ માટે કહેવામાં આવ્યું હતું અને મને કોરોનાથી ચેપ લાગ્યો હતો. આ પછી મને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.  

69 વર્ષના સતીશ શાહે વધુમાં કહ્યું કે, "હું છેલ્લા ચાર મહિનાથી મારા ઘરની બહાર નથી નીકળ્યો. મને ખબર નથી કે હું કેવી રીતે આ વાયરસનો શિકાર બની ગયો.. હાલના સમયમાં હું 11 ઓગસ્ટ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહીશ અને મારી તબિયત હવે ઠીક છે." 

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આખરે હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ઘણા દિવસો સુધી તેમણે કોવિડ -19 ની વાત શા માટે છુપાવી હતી, ત્યારે તેમણે કહ્યું કે, "હું ઇચ્છું છું કે હું જ્યારે પણ સંપૂર્ણ સ્વસ્થ થઈશ ત્યારે જ હું આ બાબતમાં વાત કરીશ."

નોંધનીય છે કે સતીશ શાહ 'સારાભાઇ વર્સેસ સારાભાઇ', 'ફિલ્મી ચક્કર' અને 'યે જો હૈ જિંદગી' અને 'ગમન', 'ઉમરાવ જાન', 'શક્તિ', 'હમશકલ્સ', 'રાવન' અને 'ઓમ શાંતિ ઓમ', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'મુઝસે  શાદી કરોગી' અને 'ફના' જેવી ફિલ્મ્સ માટે જાણીતા છે…. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version