Site icon

અભિનેતા અભિષેક બચ્ચને કોરોનાને આપી માત, ટ્વીટ કરી આપી જાણકારી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

08 ઓગસ્ટ 2020

29 દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા બાદ આખરે અભિષેક બચ્ચન પોતાના ઘરે પાછા ફરવા તૈયાર છે. અભિનેતા અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ગત દિવસોમાં કોરોના સંક્રમણ બાદ પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ત્યાર બાદ ઐશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્યા બચ્ચનને નાણાવટી હૉસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવારના અન્ય સભ્ય સાજા થઈને પરત આવી ગયા હતા પરંતુ અભિષેક હૉસ્પિટલમાં જ દાખલ હતો. હવે અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગિટવ આવ્યો છે. ખુદ અભિષેક બચ્ચને ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.

અભિષેક બચ્ચને ટ્વીટ કરીને લખ્યું- વચન તો વચન હોય છે. આજે બપોરે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મારા માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. હું ખૂબ જ ખુશ છું કે હું ઘરે પાછો જઈ રહ્યો છું. મારી અને મારા પરિવારની સારી સંભાળ રાખવા બદલ હું નાણાવટી હોસ્પિટલના ડોકટરો અને નર્સોનો દિલથી આભાર માનું છુ. કહેવામાં આવી રહ્યું છે કે અભિષેકને બહુ જલ્દી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે, અભિષેકે આ અંગે કંઈ નથી લખ્યું કે તે ઘરે ક્યારે જશે.

નોંધનીય છે કે 11 જુલાઇએ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ મળ્યા હોવાથી તેઓને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 17 જુલાઈએ એશ્વર્યા અને આરાધ્યાને કોરોના વાયરસના ચેપને કારણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એશ્વર્યા અને આરાધ્યા 27 જુલાઈએ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે ગયા હતા…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version