Site icon

બ્યૂટી ટિપ્સ: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ ત્વચા માટે પણ વરદાન સમાન છે મધ, જાણો તેના ફાયદા અને ઉપયોગ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

તમે જાણતા જ હશો કે મધ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. પરંતુ સ્વાસ્થ્યની સાથે સાથે તે આપણી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મધમાં ઘણા એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાને જરૂરી પોષણ પૂરું પાડે છે, જેનાથી ત્વચા સ્વચ્છ અને ચમકદાર દેખાય છે.મધનો ઉપયોગ કરવાથી ખીલ, કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ડાઘ જેવી ત્વચાની સમસ્યાઓથી છુટકારો મળે છે. આ જ કારણ છે કે બજારમાં ઉપલબ્ધ અનેક બ્યુટી પ્રોડક્ટ્સમાં મધનો ઉપયોગ કરવામાં આવે છે. તમે ઘરે પણ મધનો ઉપયોગ કરીને સુંદર અને ચમકદાર ત્વચા મેળવી શકો છો. તો ચાલો જાણીએ  કે તમે ઘરે બેઠા મધ વડે તમારી ત્વચાને કેવી રીતે સુંદર બનાવી શકો છો-

ત્વચા ને મોઇશ્ચરાઇઝ કરવા માટે: 

મધ ત્વચાને સાફ કરવાની સાથે તેને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. તે હ્યુમેક્ટન્ટ અને ઈમોલિયન્ટ તરીકે કામ કરે છે, જે ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને તેને રાહત આપે છે. આ માટે કાચા મધને આખા ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારપછી ચહેરાને ગરમ પાણીથી ધોઈ લો.

ખીલથી છુટકારો મેળવો:

ખીલ થાય ત્યારે મધનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. ખીલ થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ચહેરા પર બેક્ટેરિયાની વૃદ્ધિ અથવા વધુ પડતો પરસેવો, હોર્મોનલ ફેરફારો, દવાઓ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ. આયુર્વેદ અનુસાર, મધમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે બેક્ટેરિયા સામે લડે છે અને ખીલની સમસ્યાને દૂર કરે છે.આ સિવાય મધમાં બળતરા વિરોધી ગુણો પણ જોવા મળે છે, જે ખીલને કારણે થતી બળતરાને ઓછી કરવામાં મદદ કરે છે. આ માટે કાચા મધને ખીલ પર લગાવો અને 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારપછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.

ખુલ્લા છિદ્રો માટે ફાયદાકારક:

ત્વચાના ખુલ્લા છિદ્રોની સમસ્યામાં કાચા મધનો ઉપયોગ ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ઝાઇમ્સ ત્વચાને સાફ કરે છે અને ખુલ્લા છિદ્રોની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.તેના માટે એક ચમચી કાચા મધમાં બે ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. તેને સ્વચ્છ ત્વચા પર લગાવો અને લગભગ પાંચ મિનિટ સુધી મસાજ કરો. ત્યાર બાદ હૂંફાળા પાણીથી મોં ધોઈ લો.

ડાઘ દૂર કરવામાં અસરકારક:

મધમાં હાજર એન્ટિસેપ્ટિક અને બળતરા વિરોધી ગુણો ચહેરા પરથી ડાઘ અને ખીલના નિશાનને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય મધમાં ઘણા બધા એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને રિપેર કરે છે અને તેને યુવાન રાખે છે.આ માટે એક ચમચી કાચા મધમાં એક ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તમારી આંગળીઓની મદદથી, લગભગ 2 મિનિટ સુધી ગોળાકાર ગતિમાં ચહેરા પર મસાજ કરો. ત્યારપછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.

મધ ત્વચાને ચમકદાર બનાવે છે:

ચહેરા પર મધનો ઉપયોગ ત્વચાને ભેજ પ્રદાન કરે છે અને કુદરતી ચમક પણ લાવે છે. આ માટે કાચા દૂધમાં મધ મિક્સ કરીને રૂની મદદથી આખા ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. આ તમારા ચહેરાને જરૂરી પોષણ આપશે અને કુદરતી ચમક આપશે.

બ્યૂટી ટિપ્સ: મૃત ત્વચા (ડેડ સ્કિન) ને મિનિટોમાં દૂર કરવાના છે, આ સરળ ઘરેલું નુસખા; જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version