Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ- ચોમાસામાં વરસાદના પાણીથી થતા સ્કિન ઇન્ફેક્શન થી બચવા કરો આ તેલ નો ઉપયોગ- જાણો તેના ફાયદા અને ઉપયોગીતા વિશે

News Continuous Bureau | Mumbai

ચોમાસા ની સિઝનમાં(monsoon season) આપણે ગમે તેટલું વરસાદ ના પાણી થી બચવાની કોશિશ કરીએ પણ બચી શકાતું નથી. વરસાદની ઋતુમાં ગંદા પાણી અને ભેજને કારણે સ્કિન ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. વરસાદના પાણીથી ત્વચામાં ખંજવાળ(rashesh) અને ફોલ્લીઓ થાય છે. ઘણી વખત આ દાણા ખંજવાળવાથી તેમાંથી લોહી નીકળવા લાગે છે. વરસાદની ઋતુમાં અનુકૂળ વાતાવરણને કારણે અનેક પ્રકારની ફૂગ ઝડપથી વધે છે, જે આપણી ત્વચામાં ચેપનું(skin infection) કારણ બને છે.વરસાદની ઋતુમાં ત્વચાની સમસ્યાઓથી બચવા માટે ત્વચાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. આ ઋતુમાં ત્વચાના રોગોથી બચવા માટે નારિયેળ તેલ શ્રેષ્ઠ ઉપાય છે. આ તેલ ત્વચા પર રક્ષણનું સ્તર બનાવે છે અને ત્વચાને મોઇશ્ચરાઇઝ(moisturize) કરે છે. તંદુરસ્ત ત્વચા મેળવવા માટે તમે નાળિયેર તેલનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કે વરસાદમાં ત્વચા માટે નારિયેળ તેલ કેવી રીતે ફાયદાકારક છે અને તેનો ઉપયોગ ત્વચા પર કેવી રીતે કરવો.

Join Our WhatsApp Community

– નાળિયેર તેલ(coconut oil)ત્વચામાં તરત જ શોષાય છે અને ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે. આનાથી ત્વચાની માલિશ કરવાથી ત્વચાના ચેપથી બચી શકાય છે. આ તેલ વરસાદની ઋતુમાં ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેનાથી ત્વચાની શુષ્કતા દૂર થાય છે. તે ત્વચાની અંદરની તરફ ભેજ લાવે છે. આ તેલથી માલિશ કરવાથી થાક અને શરીરના દુખાવામાં રાહત મળે છે.

– નાળિયેર તેલમાં ભરપૂર માત્રામાં ફેટી એસિડ(fatty acid) હોય છે. તેમાં લૌરિક એસિડ હોય છે, જે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબાયલ છે. તેમાં રહેલું લિનોલીક એસિડ હાઇડ્રેટરનું કામ કરે છે. નાળિયેર તેલથી માલિશ(coconut oil massage) કરવાથી ત્વચામાં તેલ સારી રીતે શોષાય છે એટલું જ નહીં, ત્વચાના છિદ્રો ખૂલી જવાને કારણે સ્નાન સમયે શરીર સારી રીતે સાફ થાય છે.

– તેનો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ(soft skin) બને છે. નાળિયેર તેલથી માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. ચોમાસામાં નાળિયેર તેલથી માલિશ કરવાથી એનર્જી લેવલ જળવાઈ રહે છે. તે ત્વચાના ચેપને દૂર કરે છે અને ત્વચામાં લવચીકતા લાવે છે.

– આ માટે તમે એક બાઉલમાં 2-3 ચમચી નારિયેળ તેલ લો અને તેને હૂંફાળું ગરમ ​​કરો. આ હૂંફાળા તેલથી ચહેરાથી ગરદન સુધી માલિશ(massage) કરો. આ તેલથી 5-10 મિનિટ સુધી માલિશ કર્યા પછી, તેને ત્વચા પર રહેવા દો. તેને સાફ કરવા માટે ભીના ટુવાલનો ઉપયોગ કરો. નારિયેળ તેલ ત્વચાને ચમકદાર બનાવે છે, સાથે જ ત્વચાના ચેપ સામે રક્ષણ આપે છે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- ચોમાસામાં ત્વચાની સંભાળ માટે અજમાવી જુઓ આ ઘરેલુ નુસખા- પિમ્પલ્સ થી મળશે છુટકારો

Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
Exit mobile version