Site icon

ઑનલાઇન શિક્ષણની આડઅસર, દેશના 53 ટકા વાલીઓ બાળકોને સ્કૂલ મોકલવા તૈયાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 19 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ઑનલાઇન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર થઈ રહી છે. ઑનલાઇન શિક્ષણના દુષ્પરિણામને કારણે વાલીઓનો ઑનલાઇન શિક્ષણ પ્રત્યેનો મત બદલાઈ ગયો છે. હાલમાં જ એક ઑનલાઇન સર્વેક્ષણમાં વાલીઓ પોતાનાં બાળકોને સ્કૂલમાં મોકલવા તૈયાર થયા હોવાનું જણાઈ આવ્યું હતું. સર્વે મુજબ ઑગસ્ટ અંત કે સપ્ટેમ્બરમાં સ્કૂલ પ્રત્યક્ષ ચાલુ કરવામાં આવે તો 53 ટકા વાલીઓએ બાળકોને સ્કૂલમાં મોકલવાની તૈયારી બતાવી હતી. 44 ટકા વાલીઓ હજી પણ સ્કૂલ મોકલવા બાબતે નિર્ણય લઈ શક્યા નથી.

આ સર્વેમાં લગભગ 10,000 વાલીઓનો મત લેવામાં આવ્યો હતો, જેમાં 21 ટકા વાલીઓએ 15 ઑગસ્ટથી સ્કૂલ ચાલુ થવી જોઈતી હતી એવો મત આપ્યો હતો. પહેલી સપ્ટેમ્બરથી પ્રત્યક્ષ વર્ગ ચાલુ કરવા 15 ટકા અને 15 સપ્ટેમ્બરથી સ્કૂલ ચાલુ કરવાને છ ટકા વાલીઓએ સહમતી દર્શાવી હતી. નવ ટકા વાલીઓ પોતાનાં બાળકોને સ્કૂલમાં મોકલવા તૈયાર નથી.

અહીં ઉલ્લેખનીય છે કે જૂન 2021માં એક સર્વેક્ષણમાં 76 ટકા વાલીઓ પોતાનાં બાળકોને સ્કૂલમાં મોકલવા તૈયાર નહોતા. જુલાઈમાં 48 ટકા અને ઑગસ્ટમાં 44 ટકા વાલીઓ બાળકોને સ્કૂલમાં મોકલવાને લઈને મૂંઝવણમાં હતા.

હર્ષદ મહેતાનો ભૂતપૂર્વ સાગરીત અંતે દિલ્હીથી પકડાયો આ કેસમાં, પોલીસથી બચવા મુંબઈથી ઠેરઠેર ભાગતો ફરતો હતો; જાણો વિગત

જોકે હવે ઑનલાઇન શિક્ષણને કારણે બાળકોના શિક્ષણની સાથે જ માનસિક અસર પણ થઈ રહી છે. તેથી મોટા ભાગના વાલીઓ તેમ જ શિક્ષણ-નિષ્ણાતોએ કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને તબક્કા વાર શાળા શરૂ કરવાનો મત વ્યક્ત કરી રહ્યા છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version