Site icon News Continuous Bureau | Mumbai

આસારામે અદાલતમાં જામીન માટે આજીજી કરી..  કહ્યું કે- ‘હું 7 વર્ષથી કેદ છું, 80 વર્ષનો વૃધ્ધ થયો..’

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 નવેમ્બર 2020

આસારામ બાપુ, એક યુવતીના જાતીય શોષણના કેસમાં લગભગ સાત વર્ષથી જેલમાં છે. હવે જોધપુર કોર્ટે તેની જામીન અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. આસારામે તેની ઉંમરને ટાંકીને જામીન અરજીની સુનાવણી માટે કોર્ટને વિનંતી કરી છે. આ પછી જોધપુર કોર્ટે તેની અરજીને મંજૂરી આપી દીધી છે. આ કેસની સુનાવણી જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં થશે.

2013 માં બળાત્કારના આરોપો લગાવવામાં આવ્યા 

હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2013 માં એક સગીર છોકરીએ આસારામ પર જોધપુર નજીક આવેલા ઉજવેલા આશ્રમમાં બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ પછી આસારામની મધ્યપ્રદેશના ઇન્દોરથી 31 ઓગસ્ટ 2013 માં ધરપકડ કરવામાં આવી હતી. આસારામ પર પોક્સો એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, બળાત્કાર, ગુનાહિત કાવતરું અને અન્ય ઘણી કલમ હેઠળ કેસ દાખલ કરાયો છે. 2014 માં, આસારામે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

ત્યારબાદ આ સજા 2018 માં જાહેર કરવામાં આવી હતી, એપ્રિલ 2018 માં, જોધપુર વિશેષ કોર્ટે આસારામ બાપુને દોષી ઠેરવ્યા, ત્યારબાદ કોર્ટે આસારામ બાપુને આજીવન કેદ અને એક લાખ રૂપિયા દંડની સજા ફટકારી હતી. હવે આસારમે આ કેસમાં જામીન સુનાવણી માટે અરજી કરી છે. જેથી તેઓ જેલના બદલે જામીન પર છૂટી પોતાના ઘરે રહી શકે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version