Site icon News Continuous Bureau | Mumbai

તો આ કારણે ‘બાબા કા ઢાબા’ના માલિકે કર્યો હતો આત્મહત્યા નો પ્રયાસ; હૉસ્પિટલથી રજા મેળવ્યા બાદ આપ્યું આ નિવેદન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

દક્ષિણ દિલ્હીના 'બાબા કા ઢાબા'ના માલિક કાંતા પ્રસાદને સફદરજંગ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેણે 17 જૂને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે ૮૧ વર્ષીય પ્રસાદે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી અને ત્યાર બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.

એક વરિષ્ઠ અધિકારીના મીડિયાને જણાવ્યા અનુસાર પ્રસાદે પોલીસને કહ્યું હતું કે યુટ્યુબર ગૌરવ વાસનની માફી માગવા માટે ઘણા લોકો દ્વારા તેમને ફોન આવી રહ્યા છે. આનાથી તે અસ્વસ્થ થઈ ગયા હતા અને આ પગલું ભર્યું. આ મામલે હજી સુધી કોઈ કેસ નોંધાયો નથી. ઘરે પાછા ફર્યા બાદ પ્રસાદે મીડિયાને કહ્યું “ગુરુવારે મને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હું ઇચ્છું છું કે વાસન હંમેશાં ખુશ રહે અને અમને અમારા હાલ પર છોડી દે.”

જોકેવાસને મીડિયાને કહ્યું કે તેને ખબર નથી કે કોણ પ્રસાદને ફોન કરે છે. તેણે કહ્યું “હું કેવી રીતે જાણું કે તેમને કોણ ફોન કરે છે અને મને માફી માગવા માટે કેમ કહે છે?”

આંખો પહોળી થઈ જશે : મુકેશભાઈ ના  ૫- જી ની સ્પીડ ૧ જી.બી. પ્રતિ સેકન્ડ છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે યુટ્યુબર ગૌરવ વાસનને કારણે બાબા કા ઢાબાનો વીડિયો આખા દેશમાં વાયરલ થઈ ગયો હતો અને અનેક લોકોએ મદદનો હાથ લંબાવ્યો હતો.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version