Site icon

શું તમે 45 થી નીચેના છો? તમારે વેક્સિન જોઈએ છે? મહેરબાની કરીને કોઈ ના ચક્કરમાં નહી આવતા. નહીં તો આ મુસીબત થશે..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 માર્ચ 2021

હાલ કોરોના નો બીજો તબક્કો શરૂ થવાને કારણે અનેક લોકો ટેન્શનમાં છે. કેટલાક લોકો એવું માની રહ્યા છે કે તે વહેલામાં વહેલી તકે વેક્સિન લઈ લે જેથી તેમની સમસ્યાનો ઉકેલ આવે. તેમજ તેઓ કોરોના સામે વધુ સુરક્ષિત થઈ જાય. પરંતુ સરકારી કાયદો બહુ સ્પષ્ટ છે જે પ્રમાણે ૪૫ વર્ષથી નીચેના કોઇપણ વ્યક્તિને વેક્સિન નહીં મળી શકે. આ સંદર્ભે વધુ જણાવતાં મેડિકલ કન્સલ્ટન્ટ તેમજ જાણીતા ડોક્ટર આશિષ તિવારીએ ન્યુઝ કંટીન્યૂઝ ની ટીમને કહ્યું કે જે કોઈ વ્યક્તિ ખોટા ડોક્યુમેન્ટને આધારે અથવા ખોટી બીમારી દેખાડીને આઉટ ઓફ ટર્ન વેક્સિન લઈ રહ્યા છે તેમને પસ્તાવાનો વારો આવશે. આના પ્રમુખ બે કારણ છે. પહેલા કારણ મુજબ જે ડેટા સરકારને આપવામાં આવે છે તેમાં કોઇપણ પ્રકારની ચીટીંગ કરવાથી તે તમારી વિરુદ્ધમાં એક ડોક્યુમેન્ટરી એવિડન્સ છે.આજે વેક્સીન લઈને તમે સુરક્ષિત થઈ શકશો પરંતુ ભવિષ્યમાં જો આ ડેટા ઈન્સ્યોરન્સ કંપનીને મળી ગયો અને જો તેમાં કોઈ ખોટી બીમારી લખેલી હશે તો તે ઇન્સ્યોરન્સ કંપની તમારો ક્લેમ રોકી શકે છે. બીજી તરફ ખોટી રીતે વેક્સિન લેનાર વ્યક્તિને સર્ટીફીકેટ મળતું નથી. જ્યારે સરકાર આ સર્ટિફિકેટ ફરજિયાત બનાવશે ત્યારે તે લોકો માટે સમસ્યા પેદા થશે. પહેલાં તો તેમણે વધુ એક વખત વેક્સિન લેવી પડશે અને તે સમયે તેમને આડઅસર થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે અમુક લોકો દાવો કરી રહ્યા હતા કે હાઇપર ટેન્શન જેવી બીમારીને દેખાડીને વેક્સિન લઈ શકાય છે. તેમજ જન્મ તારીખ ખોટી લખીને અથવા ડોક્યુમેન્ટ સાથે ચેડા કરીને વેક્સિન મેળવી શકાય છે. પરંતુ આવા કોઈ પણ રસ્તે જતાં પસ્તાવું પડશે તે નક્કી છે.

આ સંદર્ભે ડોક્ટર આશિષ તિવારીનું કહેવું છે કે આવનાર દિવસોમાં એટલે કે લગભગ એક મહિના પછી શક્ય છે કે કેન્દ્ર સરકાર 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવાનો નિર્ણય લે. આ પરિસ્થિતિમાં લોકોએ એક મહિના સુધી વધુ સાવચેત રહેવાની જરૂર છે.

 

Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Exit mobile version